Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય ક્રિકેટ ટીમ પર કોરોનાનો કહેર; સાત ખેલાડીઓ આઇસોલેટ થતાં, તમામ ફિટ ખેલાડીઓને સમાવતાં માંડ બની ટીમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

ભારત અને શ્રીલંકા વચ્ચે રમતી T20 મૅચ ફારસ જેવી સાબિત થઈ છે. ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યાને કોરોના થતાંએક મૅચ સસ્પેન્ડ કરાઈ હતી, પરંતુ મૅચ પ્રસારિત કરતી કંપનીને કારણે નાછૂટકે આ શ્રેણી ફરીથી શરૂ કરાઈ છે. કૃણાલ પંડ્યાની નજીક આવેલા સાત ખેલાડીઓને પણ આઇસોલેટ કરતાં હવે ભારતની ટીમમાં કોને સામેલ કરવા એ મોટો પ્રશ્ન બન્યો હતો.

ચાહકો ઇચ્છતા હતા કે બીજી અને ત્રીજી મૅચ રદ કરવામાં આવે, પરંતુ એમ ન થતાં ભારતીય ટીમ માટે કટોકટી સર્જાઈ હતી. કૅપ્ટન ધવન અને ટીમના કોચ દ્રવિડ સામે મુસીબત એ હતી કે જો સાત ખેલાડીઓ ન રમે તો ટીમ કઈ રીતે બને. બાદમાં ફિટ ખેલાડીઓને સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકેઆ નિર્ણયને પગલે હાલ ટીમમાં બોલરોની સંખ્યા વધી ગઈ છે.

કોરોનાને લગતા નિયંત્રણો તથા લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાને લઈને કોંગ્રેસના આ નેતાએ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ કરી આ મોટી માગણી;જાણો વિગત

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે આ પડકાર ઝીલ્યો છે અને મૅચ રમવાથી પાછળ ખસી નથી. ભારતીય ટીમને વિશ્વાસ છે કે શ્રીલંકાની ટીમનો સામનો કરવા માટે આ ટીમ પણ પૂરતી છે, પણ જો ભારતના હજી એકાદ ખેલાડીને આઇસોલેટ કરાયો હોત તો ભારતે નેટ બોલરોને પણ રમાડવાની જરૂર પડત.

MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Exit mobile version