ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
અમદાવાદમાં વિન્ડિઝ સામેની વન ડે શ્રેણી રમવા પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
ભારતીય ટીમનો ઓપનર ધવન તેમજ યુવા બેટ્સમેન શ્રેયસ ઐયર અને ઋતુરાજ ગાયકવાડનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ત્રણ ખેલાડીઓ સિવાય સપોર્ટ સ્ટાફના 5 સભ્યો પણ વાયરસની ચપેટમાં આવ્યા છે.
હાલ ખેલાડી અને સ્ટાફના સભ્ય આઇસોલેશનમાં છે અને ડૉક્ટર તેમનું નિરીક્ષણ કરી રહ્યા છે.
કોરોનાના પગલે હવે ૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ભારત અને વિન્ડિઝની વન ડે શ્રેણીનું ભવિષ્ય પણ ધુંધળું બન્યું છે.
