Site icon

પુણે પોલીસની દમદાર કામગીરી, આ ક્રિકેટરના પિતા થયા ગુમ, કલાકોની લાંબી શોધખોળ બાદ અહીંથી શોધી કાઢયા…

Cricketer Kedar Jadhav's father goes missing, Pune Police traces him after hrs-long search

પુણે પોલીસની દમદાર કામગીરી, આ ક્રિકેટરના પિતા થયા ગુમ, કલાકોની લાંબી શોધખોળ બાદ અહીંથી શોધી કાઢયા…

News Continuous Bureau | Mumbai

ભારતીય ટીમ સિવાય કેદાર જાધવ લાંબા સમય સુધી IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો છે. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. કેદાર જાધવે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Join Our WhatsApp Community

ભારતીય ક્રિકેટર કેદાર જાધવના પિતા મહાદેવ જાધવ મહારાષ્ટ્રના પુણે સ્થિત તેમના ઘરેથી ગુમ થઈ ગયા હતા. ફરિયાદ મળ્યા પછી, પોલીસે ઝડપથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને થોડા કલાકોમાં તેમને પુણે શહેરના મુંધવા વિસ્તારમાંથી શોધી કાઢ્યા. પુણે પોલીસે કેદાર જાધવના પિતા મહાદેવને સુરક્ષિત રીતે શોધવાની માહિતી આપી છે.

અગાઉ, માહિતી સામે આવી હતી કે મહાદેવ જાધવ 27 માર્ચ સવારે 11:30 વાગ્યાથી પુણેના કોથરોડ વિસ્તારમાંથી કથિત રીતે ગુમ છે. મહાદેવ જાધવ રવિવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ રિક્ષા લઈને નીકળ્યા હતા, પરંતુ તે પછી તેઓ ઘરે પરત આવ્યા ન હતા. તેમનો ફોન પણ સ્વીચ ઓફ હોવાનું જણાવાયું હતું. આ પછી પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પુણે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કેદાર જાધવના પિતા મહાદેવ જાધવ પુણે શહેરના કોથરુડ વિસ્તારમાંથી ગુમ થયા હતા. આ મામલે અલંકાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

કેદાર ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો 

ભારતીય ટીમ સિવાય કેદાર જાધવની વાત કરીએ તો તે લાંબા સમયથી IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો છે. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. કેદાર જાધવે મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

કેદાર જાધવે 2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ

કેદાર જાધવે 2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે 16 નવેમ્બર 2014ના રોજ રાંચીમાં શ્રીલંકા સામે તેની પ્રથમ વનડે રમી હતી. 73 વનડેમાં જાધવે 42.09ની એવરેજથી 1389 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે સદી અને છ અડધી સદી ફટકારી હતી. જાધવે 27 વિકેટ પણ પોતાના નામે કરી હતી. ઈન્ટરનેશનલ ટી20ની વાત કરીએ તો જાધવે નવ મેચમાં 20.33ની એવરેજથી 58 રન બનાવ્યા છે. IPLમાં 93 મેચમાં 22.15ની એવરેજથી 1196 રન બનાવ્યા છે. તેણે ચાર અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.

Rinku Singh Father Death: ટી-૨૦ વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ પર તૂટ્યો દુઃખનો પહાડ: પિતા ખચંદ્ર સિંહનું કેન્સર સામેની જંગમાં અવસાન; ક્રિકેટ જગતમાં શોકની લહેર.
Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Exit mobile version