Site icon News Continuous Bureau | Mumbai

India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા

એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન મેચ પછી થયેલા 'હેન્ડશેક વિવાદ' પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આખરે મૌન તોડ્યું છે. BCCIએ પાકિસ્તાનને સ્પષ્ટ કહી દીધું છે કે, ભારતીય ટીમ કોઈ પણ કાયદાથી હાથ મિલાવવા માટે બંધાયેલી નથી.

India Pakistan Match હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ

India Pakistan Match હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ

News Continuous Bureau | Mumbai

India Pakistan Match એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ થયેલા ‘હેન્ડશેક વિવાદ’ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. પાકિસ્તાન સામેની 7 વિકેટની જીત બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે અભિવાદન કર્યું નહોતું. આ ઘટનાથી નારાજ થયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)માં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

Join Our WhatsApp Channel

‘હાથ મિલાવવો એ માત્ર એક સદ્ભાવનાનો સંકેત છે’

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, હાથ મિલાવવાનું એ ફક્ત એક પરંપરા છે, કોઈ નિયમ નથી. અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, “જો તમે નિયમોની બુક વાંચશો, તો તેમાં હાથ મિલાવવાનો કોઈ ઉલ્લેખ નથી. આ માત્ર એક સદ્ભાવનાનો સંકેત (goodwill gesture) છે અને રમતગમતના ભાગરૂપે વિશ્વભરમાં એક પરંપરા તરીકે નિભાવવામાં આવે છે.” તેમણે વધુમાં કહ્યું કે, “જ્યાં આ અંગે કોઈ નિયમ નથી, ત્યાં ભારતીય ટીમ વિરોધી ટીમ સાથે હાથ મિલાવવા માટે બંધાયેલી નથી, ખાસ કરીને જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ હોય.”

PCBએ મેચ રેફરીને હટાવવાની માગ કરી

પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો ભારતીય ખેલાડીઓનો નિર્ણય હવે એક મોટો વિવાદ બની રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ આ ઘટનાથી નારાજ છે અને તેણે મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટને આ માટે જવાબદાર ઠેરવીને તેમને હટાવવાની માગ કરી છે. PCBના અધ્યક્ષ મોહસીન નકવીએ ‘X’ પર લખ્યું કે, “પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ રેફરી દ્વારા ICC કોડ ઓફ કન્ડક્ટ અને MCCના નિયમોના ઉલ્લંઘનને લઈને ફરિયાદ નોંધાવી છે અને તેમને તાત્કાલિક એશિયા કપમાંથી હટાવવાની માગ કરી છે.”

આ સમાચાર પણ વાંચો : Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય

ભારતીય ટીમનો આગામી સમયમાં પણ આ જ સ્ટેન્ડ રહેશે

ન્યૂઝ એજન્સી મુજબ, જો ભારત 28 સપ્ટેમ્બરે ફાઇનલમાં પહોંચશે, તો ખેલાડીઓ મોહસીન નકવી સાથે સ્ટેજ શેર નહીં કરે. નકવી ACCના પ્રમુખ હોવાને કારણે વિજેતા ટીમને ટ્રોફી આપી શકે છે. મેચ દરમિયાન ટોસ અને વોર્મ-અપ સમયે પણ બંને ટીમોના ખેલાડીઓએ એકબીજા સાથે વાતચીત કરી નહોતી. બંને ટીમના કેપ્ટનોએ મેચ રેફરીને ટીમશીટ સોંપી હતી. એવું પણ માનવામાં આવે છે કે હાથ ન મિલાવવાનો આ નિર્ણય એક નીતિગત છે અને જો આગામી રવિવારે સુપર 4 માં ભારતનો સામનો ફરીથી પાકિસ્તાન સાથે થાય, તો આ વલણનું પુનરાવર્તન કરવામાં આવશે.

Novak Djokovic Wimbledon 1035 દિવસ, 11 ગ્રાન્ડ સ્લેમ અને 2 ફાઈનલ, છતાં જોકોવિચની 25મી ટાઈટલની પ્રતીક્ષા યથાવત!
Skydiving at 18,000 feet ઉંમર માત્ર આંકડો છે! ૮૦ વર્ષીય દાદાએ ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએથી કરી સ્કાયડાઈવિંગ
Skating World Record અમદાવાદની દીકરીએ રચ્યો ઇતિહાસ! 8 વર્ષની તક્ષ્વી વાઘાણીએ 16 સેમીની ઊંચાઈએ સ્કેટિંગ કરી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
Lionel Messi FIFA World Cup Record Goals ઇતિહાસના પાના પર ફરી લખાયું મેસીનું નામ! ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ તોડી રચ્યો નવો કીર્તિમાન
Exit mobile version