Site icon

મોટા સમાચાર : દેશના સર્વોચ્ચ રમત-ગમત એવોર્ડ ‘ખેલરત્ન’નું નામ બદલાયું, હવે રાજીવ ગાંધી નહિ પરંતુ આ નામે એવોર્ડ અપાશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મોદી સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલી નાખ્યું છે. 

સરકારે તેને હોકીના 'જાદુગર' ગણાતા મેજર ધ્યાનચંદના નામ પર રાખવાનો નિર્ણય લીધો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી.

વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું કે, 'દેશને ગર્વ અપાવનારી પળો વચ્ચે અનેક દેશવાસીઓનો આગ્રહ પણ સામે આવ્યો કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદજીને સમર્પિત કરવામાં આવે. લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને તેનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવી રહ્યું છે.'

ઉલેખનીય છે કે હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદનું હોકીમાં અવિશ્વસનીય યોગદાન રહ્યું છે. તેમણે પોતાની અંતિમ ઓલમ્પિક (બર્લિન 1936)માં કુલ 13 ગોલ કર્યા હતા. એ જ રીતે એમ્સ્ટર્ડમ, લોસ એન્જલિસ અને બર્લિન ઓલમ્પિકમાં મળીને તેમણે કુલ 39 ગોલ કર્યા જે તેમની બાદશાહત દર્શાવે છે.

વડા પ્રધાન મોદીએ ભારતીય હૉકી ટીમના કૅપ્ટન અને કોચ સાથે કરી ટેલિફોનિક વાત, કહ્યું : તમારા પર દેશને ગર્વ છે; જુઓ વીડિયો

Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ
Exit mobile version