Site icon News Continuous Bureau | Mumbai

બુમરાહ અનફિટ : શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીસિરીઝમાંથી બહાર, હવે આ ખેલાડી લેશે તેનું સ્થાન..

ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી વનડે સિરીઝ શરૂ થશે. શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં ભારતે 2-1થી લીડ મેળવીને સિરીઝ જીતી લીધી છે. હવે બધાની નજર ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સિરીઝ પર છે.

Jasprit Bumrah : Yorker King Jhala 'Bap' Manoos, Chimuklyachan The special boat

Jasprit Bumrah : Yorker King Jhala 'Bap' Manoos, Chimuklyachan The special boat

News Continuous Bureau | Mumbai

ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી વનડે સિરીઝ શરૂ થશે. શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં ભારતે 2-1થી લીડ મેળવીને સિરીઝ જીતી લીધી છે. હવે બધાની નજર ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સિરીઝ પર છે. પરંતુ સીરીઝના એક દિવસ પહેલા ગઈકાલે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ઈજાના કારણે આરામ આપવામાં આવ્યો છે. તેથી હવે સૌનું ધ્યાન તેના પર છે કે પ્લેઇંગ 11માં કયો ખેલાડી બુમરાહનું સ્થાન લેશે. આજની ODI શ્રેણીની પ્રથમ મેચ ટૂંક સમયમાં શરૂ થશે અને તે પહેલા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

શ્રીલંકા સામે T20 શ્રેણી જીત્યા બાદ, BCCIએ બુમરાહને ફિટ જાહેર કર્યો અને તેને ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યો. પરંતુ ગઈ કાલે, વનડે સીરિઝ માટે એક દિવસ બાકી હતો ત્યારે બીસીસીઆઈએ ફરી એકવાર બુમરાહને એમ કહીને આરામ આપ્યો હતો કે તે ફિટ નથી.

દરમિયાન, આજની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી છે. જસપ્રીત બુમરાહના સ્થાને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે. બુમરાહની સાથે શ્રીલંકા સામે ટી20 સિરીઝ જીતનાર સૂર્યકુમાર યાદવને પણ આ વખતે પ્લેઈંગ ઈલેવનમાં આરામ આપવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  જોશીમઠ ભૂસ્ખલન કેસ: સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર… આપી આ તારીખ..

આ છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, યજુવેન્દ્ર ચહલ

RBI SGB New Tranche Closed 2026 સોનાના રોકાણકારોને મોટો ઝટકો, સરકારે બમ્પર કમાણી કરાવતી આ ગોલ્ડ સ્કીમ હંમેશા માટે બંધ કરી;
FIFA World Cup ૧૯૫૦ની એ એક ભૂલ અને બદલાઈ ગયો ભારતીય ફૂટબોલનો ઈતિહાસ, જાણો શા માટે ભારત ક્યારેય વર્લ્ડ કપ ન રમી શક્યું!
Khan Sir Firing Case ખાન સર ફાયરિંગ કેસ શનિવારે ફાઇલ ન થઈ શકી આગોતરા જામીન અરજી, હવે સોમવાર સુધી કરવી પડશે રાહ
Oil India Andaman Gas ભારતના હાથ લાગ્યો ઊર્જાનો અખૂટ ખજાનો અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો વિશાળ ભંડાર, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની મોટી જાહેરાત
Exit mobile version