Site icon

Asia Cup 2025: મોટી મોટી વાતો કરનારા પાકિસ્તાને 70 મિનિટમાં કર્યું સરન્ડર, જાણો બેકફૂટ પર કેમ આવ્યું પાકિસ્તાન

એશિયા કપ 2025માં પાકિસ્તાનની ધમકી 70 મિનિટ પણ ટકી ન શકી. PCBએ રેફરી બદલવા અને સૂર્યકુમાર પર દંડ લગાવવાની માગ કરી, પરંતુ ICCએ બંને નકારી કાઢી અને પાકિસ્તાનને અંતે સરન્ડર કરવું પડ્યું.

News Continuous Bureau | Mumbai
એશિયા કપ 2025નો બુધવારનો દિવસ પાકિસ્તાન ક્રિકેટ માટે મેદાન કરતા વધુ રાજકારણ અને ડ્રામા સાથે જોડાયેલો રહ્યો. UAE સામેના મહત્વના મુકાબલા પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એવો હોબાળો મચાવ્યો કે સમગ્ર ટુર્નામેન્ટનું ફોકસ મેચ પરથી હટીને તેમની માગણીઓ પર જતું રહ્યું. પરંતુ, PCBએ જે ધમકી આપી હતી, તે માત્ર 70 મિનિટ પણ ટકી ન શકી અને ટીમ આખરે મેદાન પર રમવા માટે ઉતરી જ ગઈ. મોટી મોટી વાતો કરતા પાકિસ્તાનની ધમકીને ICCએ કોઈ ભાવ જ ન આપ્યો.

PCBની માગણીઓ શું હતી?

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ બે શરતો મૂકી હતી.
પહેલી શરત: મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવીને તેમની જગ્યાએ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન રિચી રિચાર્ડસનને નિયુક્ત કરવામાં આવે. PCBનો આરોપ હતો કે પાયક્રોફ્ટ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ પક્ષપાતી વલણ અપનાવતા જોવા મળ્યા હતા.
બીજી શરત: ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર દંડ લગાવવામાં આવે. PCBએ દાવો કર્યો હતો કે સૂર્યકુમારે ભારત-પાકિસ્તાન મેચ પછી રાજકીય ટિપ્પણી કરી હતી, જે ક્રિકેટની મર્યાદા અને સ્પોર્ટ્સમેનશીપ વિરુદ્ધ હતી.
PCBએ સ્પષ્ટ કરી દીધું હતું કે જ્યાં સુધી આ બંને માગણીઓ પૂરી નહીં થાય, ત્યાં સુધી ટીમ UAE સામે મેચ નહીં રમે.

Join Our WhatsApp Community

70 મિનિટનો હાઈ-વોલ્ટેજ ડ્રામા

બુધવારે સાંજે 6 વાગ્યે પાકિસ્તાની ટીમને હોટલમાંથી નીકળવાનું હતું. ટીમ બસ હોટલની લોબીમાં ઊભી હતી અને ખેલાડીઓનો સામાન પણ લોડ થઈ ચૂક્યો હતો, પરંતુ તે જ સમયે PCBએ ખેલાડીઓને હોટલમાં રોકી દીધા.
સાંજે 6:10: ટીમની કિટ બસમાં હતી, પરંતુ ખેલાડીઓને હોટલથી બહાર નીકળવા દેવામાં આવ્યા નહોતા.
સાંજે 6:40: સમાચાર આવ્યા કે PCB ચીફ મોહસિન નકવીની રમીઝ રાજા સાથે ઈમરજન્સી મીટિંગ ચાલી રહી છે.
સાંજે 7:00: આ બધા પછી સંકેત મળ્યા કે ટીમને મેદાન પર મોકલવાનો નિર્ણય લેવાઈ ગયો છે.
સાંજે 7:10: પાકિસ્તાનની ટીમ આખરે મેચ રમવા માટે હોટલથી સ્ટેડિયમ રવાના થઈ.
એટલે કે, 70 મિનિટ સુધી PCB ધમકી આપતું રહ્યું, પરંતુ ICCએ તેની એક પણ માગ સ્વીકારી નહીં. ન પાયક્રોફ્ટને બદલવામાં આવ્યા, ન સૂર્યકુમાર પર કોઈ દંડ લાગ્યો.

આ સમાચાર પણ વાંચો : EV incentives Surat: સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫ શું છે?

પાકિસ્તાન બેકફૂટ પર કેમ આવ્યું?

પાકિસ્તાનના બેકફૂટ પર આવવાનું અસલ કારણ આર્થિક હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, જો પાકિસ્તાન એશિયા કપમાંથી હટી જાત, તો તેને અંદાજે 16 મિલિયન યુએસ ડોલર (લગભગ 141 કરોડ રૂપિયા)નું નુકસાન થાત. PCBનું વાર્ષિક બજેટ લગભગ 227 મિલિયન ડોલરનું છે, તેથી આ નુકસાન તેના બજેટનો લગભગ 7% ભાગ ખતમ કરી નાખત. આટલું મોટું નુકસાન PCB અને પાકિસ્તાન બંને માટે મોટો ફટકો સાબિત થઈ શકત. પરિણામ એ આવ્યું કે ઇજ્જત બચાવવાને બદલે બોર્ડે પૈસાને પસંદ કર્યા અને મેદાન પર ઉતરવાનો નિર્ણય લીધો.

India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Asia Cup: એશિયા કપનો ડ્રામા પાકિસ્તાનની અપીલ આઈસીસીએ ફગાવી, રેફરી ને લઈને લીધો આ નિર્ણય
Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા
Exit mobile version