Site icon News Continuous Bureau | Mumbai

ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓની હત્યાનો મામલો: પંજાબ પોલીસે કેસ સુલઝાવી દીધો, 3 આરોપીની ધરપકડ કરી… જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 સપ્ટેમ્બર 2020 

ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓની હત્યાનો મામલો પંજાબ પોલીસે ઉકેલી દીધો છે. બુધવારે પંજાબ પોલીસે આ મામલામાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ ત્રણેય આંતરરાજ્ય લૂંટ-અપરાધ ગેંગના સભ્ય છે. આ અંગે પંજાબ સરકારે કહ્યું છે કે આ કેસમાં 11 વધુ આરોપીઓ ફરાર છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. સુરેશ રૈનાએ આરોપીઓની ધરપકડ બાદ પઠાણકોટમાં કહ્યું હતું કે, ‘પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે. અમને મદદ કરવા બદલ હું પંજાબના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું.’

ઉલ્લેખનીય છે કે 19 ઓગસ્ટે સુરેશ રૈનાના ફુઆ અશોક કુમાર અને ફઈના દીકરા કૌશલની હત્યા કરી દેવામાં આવી હતી. પોતાના સંબંધીઓની હત્યા બાદ બુધવારે પહેલીવાર પઠાણકોટના ગામ થરિયાલ પહોંચ્યો હતો. પઠાણકોટ પહોંચતા જ સુરેશ રૈનાએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ રૈનાએ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને ટેગ કરીને લખ્યું હતું કે, અમને ખબર નથી કે તે રાત્રે શું થયું હતું અને કોણે આ કૃત્ય કર્યું. હું પંજાબ પોલીસને આ મામલા પર ધ્યાન આપવા આગ્રહ કરું છું. અમે કમસે કમ એ જાણવા માટે હકદાર છીએ કે તેમની સાથે આ આવું કૃત્ય કોણે કર્યું. આ અપરાધીઓને વધુ અપરાધ કરવા માટે છોડવા ન જોઈએ.

Lionel Messi FIFA World Cup Record Goals ઇતિહાસના પાના પર ફરી લખાયું મેસીનું નામ! ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ તોડી રચ્યો નવો કીર્તિમાન
Jaspal Rana Demise ખેલ જગતને મોટી ખોટ મનુ ભાકરને ઓલિમ્પિક સુધી પહોંચાડનાર દિગ્ગજ કોચનું નિધન, રમતપ્રેમીઓ સ્તબ્ધ
CM Vijay plays chess with Praggnanandhaa ચેસના મેદાનમાં હાર્યા વિજય પ્રજ્ઞાનંદ સામેની રોમાંચક મેચ બાદ ગ્રાન્ડમાસ્ટરનું ૫૦ લાખથી સન્માન!
FIFA World Cup ૧૯૫૦ની એ એક ભૂલ અને બદલાઈ ગયો ભારતીય ફૂટબોલનો ઈતિહાસ, જાણો શા માટે ભારત ક્યારેય વર્લ્ડ કપ ન રમી શક્યું!
Exit mobile version