Site icon News Continuous Bureau | Mumbai

‘ફક્ત IPL જ ટકી શકશે અને…’, સૌરવ ગાંગુલીનું ફ્રેન્ચાઈઝી ક્રિકેટ પર મોટું નિવેદન

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સોમવારે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરતાં T20 લીગ માટે ખેલાડીઓની પસંદગી ટકાઉ નથી કારણ કે ભવિષ્યમાં માત્ર આર્થિક રીતે મજબૂત લીગ ચાલી શકશે.

Sourav Ganguly says only a few financially sustainable T20 leagues will survive-rest will fade away

'ફક્ત IPL જ ટકી શકશે અને...', સૌરવ ગાંગુલીનું ફ્રેન્ચાઈઝી ક્રિકેટ પર મોટું નિવેદન

News Continuous Bureau | Mumbai

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સોમવારે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરતાં T20 લીગ માટે ખેલાડીઓની પસંદગી ટકાઉ નથી કારણ કે ભવિષ્યમાં માત્ર આર્થિક રીતે મજબૂત લીગ ચાલી શકશે.

Join Our WhatsApp Channel

વિશ્વભરમાં T20 લીગની વધતી સંખ્યા સાથે, ખેલાડીઓ હવે દેશ માટે રમવા કરતાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટને પસંદ કરી રહ્યા છે. બિગ બેશ લીગ બાદ હવે લીગ UAE અને દક્ષિણ આફ્રિકામાં થઈ રહી છે. આ ઉપરાંત વર્ષના અંતમાં અમેરિકામાં એક લીગનું પણ આયોજન છે.

સૌરવ ગાંગુલીએ એક કાર્યક્રમમાં કહ્યું, ‘અમે વિશ્વભરમાં થતી લીગ વિશે વાત કરતા રહીએ છીએ. આઈપીએલ સંપૂર્ણપણે અલગ લીગ છે. બિગ બેશ લીગ ઓસ્ટ્રેલિયામાં પણ સારો દેખાવ કરી રહી છે અને તેવી જ રીતે ધ હન્ડ્રેડે યુકેમાં પણ સારો દેખાવ કર્યો છે. દક્ષિણ આફ્રિકાની લીગ પણ સારું પ્રદર્શન કરી રહી છે.

તેણે કહ્યું, ‘આ તમામ લીગ એવા દેશોમાં થઈ રહી છે જ્યાં ક્રિકેટ લોકપ્રિય છે. હું માનું છું કે આવનારા ચાર-પાંચ વર્ષમાં માત્ર થોડી જ લીગ બાકી રહેશે અને તે કઈ હશે તે હું જાણું છું.હાલમાં દરેક ખેલાડી નવી લીગમાં જોડાવા માંગે છે, પરંતુ આવનારા સમયમાં મને ખબર પડશે કે કઈ લીગ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં લીગ ક્રિકેટ કરતાં દેશ માટે રમવાનું પસંદ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ભૂખી રહીને દોડતી હતી ભઠ્ઠા મજૂરની દીકરી, હવે બની દેશની ગોલ્ડન ગર્લ

ગાંગુલીએ ઝિમ્બાબ્વે-વેસ્ટ ઈન્ડિઝનું ઉદાહરણ આપ્યું

ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનના મહત્વ પર ભાર મૂકતા, તેમણે ઝિમ્બાબ્વેનું ઉદાહરણ ટાંક્યું જ્યાં વહીવટી કારણોસર ક્રિકેટમાં ઘટાડો થયો. તેણે કહ્યું, “હું પાંચ વર્ષ બંગાળ ક્રિકેટ એસોસિએશનનો પ્રમુખ હતો અને પછી ત્રણ વર્ષ સુધી બીસીસીઆઈનો પ્રમુખ હતો. મેં આઈસીસીમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે અને જોયું છે કે રમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સહકારથી જ શક્ય છે.

ગાંગુલીએ કહ્યું, ‘મેં 1999માં પહેલો વર્લ્ડ કપ રમ્યો હતો. તે સમયે ઝિમ્બાબ્વે કોઈને પણ હરાવી શક્યું હોત. તે સમયે ઝિમ્બાબ્વે ક્રિકેટ પાસે વધારે પૈસા નહોતા. ભારત પાસે પણ નહોતા.તેણે કહ્યું, “માઈકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટ્સ કે જોએલ ગાર્નરના સમયમાં વેસ્ટ ઈન્ડિઝ પાસે પૈસા ક્યાં હતા. ખેલાડીઓ માટે સારું વહીવટ ખૂબ જ જરૂરી છે. પૈસા કોઈ મુદ્દો નથી. ખેલાડીઓ અને સંચાલકો વચ્ચે સારા સંબંધ રાખવાથી ઘણી સમસ્યાઓ ઉકેલાય છે.

તપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સોમવારે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરતાં T20 લીગ માટે ખેલાડીઓની પસંદગી ટકાઉ નથી કારણ કે ભવિષ્યમાં માત્ર આર્થિક રીતે મજબૂત લીગ ચાલી શકશે.

આ સમાચાર પણ વાંચો :  Turkey Earthquake: તુર્કી-સીરિયામાં કુદરતે મચાવ્યો કહેર, 3700થી વધુ લોકોના મૃત્યુ, હજારો લોકો કાટમાળ નીચે દટાયા.. જુઓ વિડીયો

Spain wins Football World Cup after 16 years સ્પેને ૧૬ વર્ષ બાદ જીત્યો ફૂટબોલ વર્લ્ડ કપ, રોમાંચક મુકાબલામાં ઐતિહાસિક વિજય મેળવીને રચ્યો નવો ઇતિહાસ
India Iran Travel Advisory ઈરાનમાં અસ્થિરતા અને ભીષણ યુદ્ધની સ્થિતિ, ભારત સરકારની નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી, આપી આ ખાસ સૂચના
Jantar Mantar Security Heavy જંતરમંતર પર તણાવપૂર્ણ સ્થિતિ, ‘સંસદ કૂચ’ રોકવા દિલ્હી પોલીસ એક્શનમાં; મોડી રાત્રે પ્રચંડ સુરક્ષા દળો તૈનાત
US Airstrikes On Iran અમેરિકાનો ઈરાન પર નવમા દિવસે પણ ભીષણ હુમલો હોર્મુઝ અને ચાબહારના લશ્કરી મથકો ધૂળધાણી, આખા મધ્ય પૂર્વમાં ‘રેડ એલર્ટ’
Exit mobile version