Site icon

શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી ચેન્નઈમાં થઈ એન્જિયોપ્લાસ્ટી. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 19 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

સોમવાર.

     શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનની ચેન્નાઇની એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ છે.

   આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના બોલિંગ કોચ મુથૈયા મુરલીધરન ની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યાં જ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. 49 વર્ષીય મુરલીધરન IPL મા  વર્ષ 2015 થી હૈદરાબાદ ના બોલિંગ કોચ છે. વર્ષ 2016માં જ હૈદરાબાદની ટીમે આઇપીએલની ટ્રોફી જીતી હતી. જો કે આઈપીએલની અત્યારની સિઝનમાં હૈદરાબાદની ટીમ ની શરૂઆત નબળી રહી છે, શરૂઆતની ત્રણ મેચોમાં આ ટીમ હારી ગઈ હતી.

   ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ લેનાર ખેલાડીઓમાં મુથૈયા મુરલીધરન દુનિયાના એકમાત્ર બોલર છે. 133 ટેસ્ટ મેચોમાં 800 વિકેટ લેવાનો રેકોર્ડ મુરલીધર ના નામે છે. ત્યાં જ વન-ડે ક્રિકેટમાંથી 350 મેચમાં મુરલી એ 534 વિકેટ લીધી છે. ક્રિકેટ જગતના કેટલાય મોટા રેકોર્ડ મુરલીધર ના નામે દર્જ છે.

મહારાષ્ટ્રના શહેરમાં રેમડેસિવિર લોન પર મળશે. જાણો વિગત.

   ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વખત મેન ઓફ ધ સિરીઝ, સૌથી વધારે બોલ્ડ વિકેટ, સૌથી વધારે સ્ટમ્પ આઉટ અને સૌથી વધારે બોલિંગ કરવાનો રેકોર્ડ પણ મુરલી ના નામે છે.

Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Team India Semifinal Scenario: ટીમ ઈન્ડિયા માટે ‘ઇફ એન્ડ બટ’નું ગણિત શરૂ! દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ હવે આ રસ્તે સેમીફાઈનલમાં પહોંચી શકે છે ભારત.
Exit mobile version