Site icon News Continuous Bureau | Mumbai

શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી ચેન્નઈમાં થઈ એન્જિયોપ્લાસ્ટી. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 19 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

સોમવાર.

     શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનની ચેન્નાઇની એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ છે.

   આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના બોલિંગ કોચ મુથૈયા મુરલીધરન ની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યાં જ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. 49 વર્ષીય મુરલીધરન IPL મા  વર્ષ 2015 થી હૈદરાબાદ ના બોલિંગ કોચ છે. વર્ષ 2016માં જ હૈદરાબાદની ટીમે આઇપીએલની ટ્રોફી જીતી હતી. જો કે આઈપીએલની અત્યારની સિઝનમાં હૈદરાબાદની ટીમ ની શરૂઆત નબળી રહી છે, શરૂઆતની ત્રણ મેચોમાં આ ટીમ હારી ગઈ હતી.

   ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ લેનાર ખેલાડીઓમાં મુથૈયા મુરલીધરન દુનિયાના એકમાત્ર બોલર છે. 133 ટેસ્ટ મેચોમાં 800 વિકેટ લેવાનો રેકોર્ડ મુરલીધર ના નામે છે. ત્યાં જ વન-ડે ક્રિકેટમાંથી 350 મેચમાં મુરલી એ 534 વિકેટ લીધી છે. ક્રિકેટ જગતના કેટલાય મોટા રેકોર્ડ મુરલીધર ના નામે દર્જ છે.

મહારાષ્ટ્રના શહેરમાં રેમડેસિવિર લોન પર મળશે. જાણો વિગત.

   ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વખત મેન ઓફ ધ સિરીઝ, સૌથી વધારે બોલ્ડ વિકેટ, સૌથી વધારે સ્ટમ્પ આઉટ અને સૌથી વધારે બોલિંગ કરવાનો રેકોર્ડ પણ મુરલી ના નામે છે.

FIFA World Cup ૧૯૫૦ની એ એક ભૂલ અને બદલાઈ ગયો ભારતીય ફૂટબોલનો ઈતિહાસ, જાણો શા માટે ભારત ક્યારેય વર્લ્ડ કપ ન રમી શક્યું!
MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Exit mobile version