Site icon

ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા શ્રીલંકાને મોટો ઝટકો, આ ખેલાડી નહીં રમે.. જાણો શું છે કારણ

News Continuous Bureau Mumbai 

ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા શ્રીલંકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પોતાની જ ટીમે બીજી ટેસ્ટ પહેલા ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરાને આરામ આપી દેવાનો નિર્ણય લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને વર્કલોડના કારણે ભારત સામે આરામ આપી દેવાયો છે. 

Join Our WhatsApp Community

દુષ્મંથા ચમીરાનો કાર્યભાર ૨૦૨૨ ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૨૩ વર્લ્‌ડ કપને ધ્યાને લઇને નક્કી કરવામાં આવ્યો છે. શ્રીલંકા આ ફાસ્ટ બોલરને કોઈ પણ કિંમતે આઈસીસીની બંને ટૂર્નામેન્ટમાં રમાડવા માંગે છે, તેથી તેને ટેસ્ટ ફોર્મેટમાંથી બહાર રાખવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : મૃત્યુ પહેલા શું કરી રહ્યા હતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન? CCTV ફૂટેજમાં થયો આ મોટો ઘટસ્ફોટ; જાણો વિગતે 

દુષ્મંથા ચમીરાએ અત્યાર સુધી ૧૨ ટેસ્ટ મેચમાં ૩૨ વિકેટ ઝડપી છે. તેની ક્ષમતા મુજબ આ પ્રદર્શન કોઈ ખાસ નથી પરંતુ તેનામાં જબરદસ્ત પ્રતિભા છે. કદાચ એટલે જ આઈપીએલ ૨૦૨૨ની હરાજીમાં આ ફાસ્ટ બોલરને લખનૌ સુપરજાયન્ટ્‌સે ખરીદ્યો છે, દુષ્મંથા ચમીરાને ટેસ્ટ ટીમમાંથી દુર કરવાનો મતલબ એ છે કે શ્રીલંકા ફરી એકવાર બેંગલુરુમાં મોહાલી ટેસ્ટના પેસ બોલરો સાથે મેદાન પર ઉતરશે. મોહાલીમાં શ્રીલંકાએ સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો અને લાહિરુ કુમારા સહિત ત્રણ ઝડપી બોલર હતા.

Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Team India Semifinal Scenario: ટીમ ઈન્ડિયા માટે ‘ઇફ એન્ડ બટ’નું ગણિત શરૂ! દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ હવે આ રસ્તે સેમીફાઈનલમાં પહોંચી શકે છે ભારત.
Exit mobile version