Site icon

BCCI Prize Money: એશિયા કપ જીતતા જ ટીમ ઈન્ડિયા થઇ માલામાલ, BCCI એ કરી મોટી ઈનામી રકમ ની જાહેરાત

BCCI દ્વારા ટીમ ઈન્ડિયા ને વિજેતા તરીકે મળેલી ૨.૬ કરોડની પ્રાઇઝ મની ઉપરાંત ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ૨૧ કરોડનું બમ્પર ઇનામ જાહેર; પાકિસ્તાનને પણ કર્યું જોરદાર ટ્રોલ.

Team India Gets Mega Windfall After Asia Cup Win; BCCI Announces 'Bumper' Prize Money

Team India Gets Mega Windfall After Asia Cup Win; BCCI Announces 'Bumper' Prize Money

News Continuous Bureau | Mumbai

BCCI Prize Money: સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ રવિવાર, 28 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને રેકોર્ડ નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ જીત બાદ BCCI એ ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે એક મોટી ઈનામી રકમની જાહેરાત કરી છે, જે એશિયા કપની સત્તાવાર પ્રાઇઝ મની કરતાં લગભગ દસ ગણી વધુ છે. રિપોર્ટ્સ મુજબ, એશિયા કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને લગભગ ૨.૬ કરોડ રૂપિયા મળ્યા છે, પરંતુ આ રકમ સિવાય BCCI એ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ૨૧ કરોડ રૂપિયાના બમ્પર ઇનામની જાહેરાત કરીને ખુશી વ્યક્ત કરી છે.BCCI એ ‘X’ પર ઈનામી રકમની જાહેરાત કરતી વખતે પાકિસ્તાનને પણ જોરદાર ટ્રોલ કર્યું હતું. BCCI એ લખ્યું, “3 વાર. 0 પ્રતિક્રિયા. એશિયા કપ ચેમ્પિયન. સંદેશ પહોંચ્યો. ટીમ અને સહયોગી સ્ટાફ માટે ૨૧ કરોડ રૂપિયાની પુરસ્કાર રાશિ.”

Join Our WhatsApp Community

ફાઇનલ મેચની રોમાંચક ઝલક

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે ભારત સામે ૧૪૭ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. સાહિબઝાદા ફરહાને આ દરમિયાન અડધી સદી ફટકારી હતી. પાકિસ્તાનની પ્રથમ વિકેટ ૮૪ ના સ્કોર પર પડી હતી, જે પછી ભારતીય સ્પિનર્સ એ એવી જાળ બિછાવી કે પાકિસ્તાનની ટીમ તેમાંથી બહાર નીકળી શકી નહીં. કુલદીપ યાદવે સૌથી વધુ ૪ વિકેટો ઝડપી હતી, જ્યારે જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીને ૨-૨ સફળતા મળી હતી. ૧૪૭ રનનો લક્ષ્યાંક તે સમયે ભારત માટે પહાડ જેવો બની ગયો જ્યારે ટીમ ઈન્ડિયાએ ૨૦ ના સ્કોર પર અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલના રૂપમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, આ પછી તિલક વર્માએ સંજુ સેમસન અને શિવમ દુબે સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તિલક વર્મા ૬૯ રન બનાવીને અંત સુધી અણનમ રહ્યો હતો અને તેને પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો;  Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના મોંઢા પર માર્યો વધુ એક ‘તમાચો’!ભારતીય કેપ્ટન એ કર્યું એવું કામ કે મળી રહી છે પ્રશંસા

જીત બાદ ટ્રોફી વિવાદનો મોટો ડ્રામા

મેચ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ ના અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો હતો અને આ ડ્રામા લગભગ ૨ કલાક સુધી ચાલ્યો હતો. આ પછી મોહસિન નકવી મેદાન છોડીને ચાલ્યા ગયા હતા અને થોડી વાર પછી ટ્રોફી પણ ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. BCCI એ પાકિસ્તાન પર એશિયા કપની ટ્રોફી અને મેડલ્સ ચોરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ભારતીય ખેલાડીઓના જશ્નમાં કોઈ કમી જોવા મળી નહોતી. સૂર્યા બ્રિગેડે ટ્રોફી વિના જ એશિયા કપની જીતનો જશ્ન મનાવ્યો હતો.

BCCI ની કાર્યવાહી: પાકિસ્તાન વિરુદ્ધ ICC માં ફરિયાદ

BCCI એ ટ્રોફી વિવાદ અને મોહસિન નકવીના અશોભનીય વર્તન પર ગંભીર વલણ અપનાવ્યું છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું છે કે બોર્ડ આ મામલે નવેમ્બરમાં દુબઈમાં યોજાનારી ICC ની બેઠકમાં જોરદાર વિરોધ નોંધાવશે. BCCI એ આશા વ્યક્ત કરી છે કે ટ્રોફી અને ખેલાડીઓના મેડલ્સ જલ્દીથી જલ્દી ભારતને પરત કરવામાં આવશે. BCCI નું માનવું છે કે એશિયા કપની ટ્રોફી સાથે મેડલ્સ લઈ જવાનું કૃત્ય અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અશોભનીય છે.

 

Amit Shah: અમિત શાહનો એશિયા કપના બહાને દુનિયાને ખાસ સંદેશ, જાણો કેન્દ્રીય ગૃહમંત્રી એ તેમની પોસ્ટ માં શું લખ્યું
Asia Cup: આખરે ટીમ ઈન્ડિયાએ એશિયા કપની ટ્રોફી ના લેવાનું અસલી કારણ આવ્યું સામે, વાંચો વિગતે
Stock Market: સપ્તાહના પહેલા દિવસે બજારમાં ઉછાળો, સેન્સેક્સ 330 અંક ચઢ્યો, નિફ્ટી થયો આટલા ને પાર
Narendra Modi: ભારતની જીત બાદ PM મોદીની પોસ્ટથી ખ્વાજા આસિફને લાગ્યું ‘મરચું’, લગાવ્યો આ આરોપ
Exit mobile version