Site icon News Continuous Bureau | Mumbai

૪ મહિના અને કોહલીનો ખેલ ખતમ, તમામ ફોર્મેટમાંથી વિરાટ કોહલીએ કપ્તાની છોડી. જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર.

વિરાટ કોહલીએ ટી-૨૦ વર્લ્‌ડ કપની સાથે આ ફોર્મેટમાં ટીમની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. કોહલી વનડે અને ટેસ્ટમાં કેપ્ટનશીપ ચાલુ રાખવા માંગતો હતો, પરંતુ બોર્ડે તેની પાસેથી વનડેની કેપ્ટનશીપ છીનવી લીધી અને રોહિત શર્માને કમાન સોંપી. દેખીતી રીતે, ટીમમાં રોહિતના વધતા કદ અને જવાબદારીએ કોહલીની લાંબા સમયથી એકાધિકારની સત્તાને તોડી પાડી. વનડેની કેપ્ટનશીપ ગુમાવવાની સાથે જ વિરાટ કોહલી અને બી.સી.સી.આઈ વચ્ચેનો વિવાદ સામે આવ્યો હતો. બી.સી.સી.આઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ દાવો કર્યો હતો કે તેણે કોહલીને ટી૨૦ કેપ્ટનશિપ ન છોડવા માટે કહ્યું હતું, જેના જવાબમાં કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં ખુલ્લેઆમ તેને ખોટું ગણાવ્યું અને બોર્ડ સાથે દુશ્મની લીધી. આવી સ્થિતિમાં, હંમેશાની જેમ, સૌથી મોટા ખેલાડીઓ પણ મજબૂત બોર્ડની સામે એકલા પડી જાય છે, કોહલી સાથે પણ એવું જ થયું છે. 

 

કોહલી માટે બોર્ડનું સમર્થન સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું. જ્યારે ઓ.ડી.આઈ-ટી૨૦માં આઈ.સી.સી. ટ્રોફી ન જીતવાની દલીલ કોહલીની વિરુદ્ધ થઈ, ત્યારે ટેસ્ટમાં તેના ખરાબ ફોર્મનું દબાણ વધવા લાગ્યું. કોહલી છેલ્લા ૨ વર્ષથી કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં સ્થિતિ વધુ ખરાબ હતી, જ્યાં તે પહેલાની જેમ બોલરો પર પોતાનું વર્ચસ્વ જાળવી શક્યો ન હતો અને તે જ ભૂલોને કારણે સતત વિકેટ ગુમાવી રહ્યો હતો. તેના ઉપર, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં અણધારી હારના કારણે કોહલી પાસે પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક પણ છુટી ગઈ. ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧માં ટીમ ઈન્ડિયાની પ્રથમ રાઉન્ડમાં હાર સાથે મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો હતો.. શાસ્ત્રી ૨૦૧૭માં ટીમ ઈન્ડિયાના કોચ બન્યા હતા અને કોહલીએ તેમની નિમણૂક માં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંનેની જોડીએ ઘણી સફળતાઓ હાંસલ કરી અને ઘણી હદ સુધી ટીમ ઈન્ડિયા પર એક તરફી રાજ પણ થયું.

મહારાષ્ટ્રના થાણેના આ વિસ્તારના બંધ કાપડના કારખાનામાં લાગી ભીષણ આગ, કરોડોની સંપત્તિ બળીને ખાખ; જુઓ વિડીયો જાણો વિગતે

શાસ્ત્રી ગયા કે તરત જ રાહુલ દ્રવિડ નવા કોચ બની ગયા અને આવી સ્થિતિમાં કોહલી પાસે શાસ્ત્રી જેવો ભરોસાપાત્ર પાર્ટનર નહોતો, જેણે સમીકરણો બદલી નાખ્યા અને કદાચ તેને શાસ્ત્રી જેવો ટેકો ન હતો.પહેલા ટી૨૦, પછી ઓ.ડી.આઈ અને હવે ટેસ્ટપ ચાર મહિનામાં જ ભારતીય ક્રિકેટ ટીમ માં વિરાટ કોહલીની કપ્તાની પૂરી થઈ ગઈ. ટેસ્ટ ફોર્મેટમાં સાત વર્ષ પછી, જેમાં કોહલી પ્રથમ વખત ૨૦૧૫માં ટીમનો કેપ્ટન બન્યો હતો, કોહલીએ તે જ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે રાજીનામું આપીને કેપ્ટનશિપનો કાર્યકાળ સમાપ્ત કર્યો હતો. થોડા મહિના પહેલા સુધી ભારતીય ક્રિકેટના સૌથી શક્તિશાળી ચહેરા તરીકે જાેવામાં આવતો વિરાટ કોહલી અચાનક સૌથી અલગ-અલગ ખેલાડી તરીકે જોવામાં આવે છે. 

આ સાથે, દેખીતી રીતે સવાલો ઉભા થઈ રહ્યા છે કે કોહલીએ ટીમ ઈન્ડિયાને ઉંચાઈ પર લઈ જવાના ટેસ્ટ ફોર્મેટમાંથી અચાનક રાજીનામું કેમ આપી દીધું? કોહલીએ સપ્ટેમ્બર ૨૦૨૧માં ટી૨૦ ટીમની કેપ્ટનશીપ છોડવાનો ર્નિણય લીધો હતો. પછી તેણે કહ્યું હતું કે તે ટી૨૦ વર્લ્‌ડ કપ પછી કેપ્ટનશિપ છોડી દેશે, પરંતુ વનડે અને ટેસ્ટમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે. પરંતુ ડિસેમ્બરમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોહલીને વનડેની કેપ્ટનશીપથી હટાવીને રોહિત શર્માને જવાબદારી સોંપી હતી. હવે વિરાટ કોહલીએ પણ ટેસ્ટની કેપ્ટનશીપ છોડી દીધી છે અને આ સાથે જ તેના સફળ કાર્યકાળનો અંત આવી ગયો છે.

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version