ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર ભુવનેશ્વરકુમારના પિતાનું નિધન થયું છે.
ભુવનેશ્વરકુમારના પિતા કિરણ પાલ સિંહ છેલ્લા લાંબા સમયથી કૅન્સરથી લડાઈ લડી રહ્યા હતા.
કિરણ પાલ સિંહે મેરઠ ખાતે પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. તેમને કૅન્સર સિવાય લીવરની પણ સમસ્યા હતી.
