Site icon

 નીરજ ચોપરા સહિત 12 ખેલાડીને ખેલરત્ન, ભાવિના પટેલ સહિત 35ને અર્જૂન એવોર્ડનું સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

શનિવાર.

 ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રમતજગતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરાર 62 ખેલાડીઓનું સન્માન કરીને તેમને ખેલ રત્ન પુરસ્કારથી નવાજિત કર્યાં છે. જેમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડા, સિલ્વર મેડાલિસ્ટ પહેલવાન રવી દહીયા મહિલા ક્રિકેટર મિતાલી રાજ અને હોકી કેપ્ટન મનપ્રીત સિંહ સહિત 12 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે. આ વર્ષે 12 ખેલ રત્ન ઉપરાંત 35 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેનું મુખ્ય કારણ ઓલિમ્પિકમાં સાત મેડલ અને પેરાલિમ્પિક્સમાં 19 મેડલ જીતી અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

‎મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર ખેલાડીઓ 

‎‎અર્જુન એવોર્ડ મેળવનાર 35 ખેલાડીઓ 

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર દર વર્ષે 29 ઓગસ્ટે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસના અવસર પર આપવામાં આવે છે, પરંતુ આ વખતે 29 ઓગસ્ટની આસપાસ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સનું આયોજન હોવાથી એવોર્ડ આપવામાં વિલંબ થયો.  

આપને જણાવી દઈએ કે દેશમાં આવું પહેલી વખત બની રહ્યું છે કે એક સાથે આટલા બધા ખેલાડીઓને ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યા છે. ખેલ રત્ન પુરસ્કારમાં 25 લાખ રૂપિયાની ઈનામી રકમ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. જ્યારે અર્જુન પુરસ્કાર મેળવનારને 15 લાખની ઈનામી રકમ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. વર્ષ 2020 પહેલા ખેલ રત્ન પુરસ્કાર મેળવનારને 7.50 લાખ રૂપિયા જ્યારે અર્જુન પુરસ્કાર મેળવનારને 5 લાખ રૂપિયા આપવામાં આવતા હતા.

Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
ICC vs BCB: બાંગ્લાદેશને ICCનો જોરદાર ફટકો, T20 વર્લ્ડ કપની મેચો ભારતની બહાર ખસેડવાની માંગ ફગાવી.
Tilak Varma: T20 વર્લ્ડ કપ પહેલા ભારતની મુશ્કેલી વધી! તિલક વર્માની સર્જરી બાદ ક્રિકેટ પ્રેમીઓ ચિંતિત, જાણો ક્યારે કરશે પુનરાગમન.
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશના નખરાં નહીં ચાલે! ICC એ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું, ભારત આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
Exit mobile version