Site icon News Continuous Bureau | Mumbai

 વિરાટ કોહલીને કેપ્ટન્સી છોડવા માટે અપાયું 48 કલાકનું અલ્ટિમેટમ પરંતુ વાત નહીં માનતા BCCIએ લીધો આ મોટો નિર્ણય 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

તાજેતરમાં યોજાયેલા ટી20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. વિરાટ કોહલીએ પોતે T20 ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધી હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમની પાસેથી વન ડે ટીમની કેપ્ટનશિપ પણ છીનવી લીધી છે. હવે સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન તેના સ્થાને રોહિત શર્માને કમાન સોંપવામાં આવી છે.

મીડિયામાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર વિરાટ ODI ટીમની કેપ્ટનશીપ છોડવા માંગતો નહોતો. તે વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવા માંગતો હતો પરંતુ BCCIની યોજના અલગ હતી. અહેવાલો અનુસાર, BCCIએ વિરાટ કોહલીને કેપ્ટનશિપ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો પરંતુ તેણે કેપ્ટનશીપ છોડી નહોતી. કહેવામાં આવી રહ્યું છે કે સાડા ​​ચાર વર્ષ સુધી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરનાર વિરાટ કોહલીને BCCI સન્માનજનક રસ્તો આપવા ઈચ્છતી હતી, પરંતુ તેણે બોર્ડની વાત ન માની, જેના પછી તેને કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવ્યો. જોકે, આ મામલે હજુ સુધી વિરાટ કોહલીનું નિવેદન આવ્યું નથી. 

ભાજપના આ નેતાના સમર્થનમાં પોલીસ સ્ટેશન પર ભાજપના વિધાનસભ્યોએ કરી ઘેરાવબંધી; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ એક કેપ્ટન તરીકે ઘણું બધું હાંસલ કર્યું છે પરંતુ તે ICC ટ્રોફી જીતી શક્યો નથી અને આ જ બાબત તેની વિરુદ્ધ ગઈ હતી. વિરાટના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2017, વર્લ્ડ કપ 2019 અને T20 વર્લ્ડ કપ 2021 જીતી શકી નથી.

FIFA World Cup ૧૯૫૦ની એ એક ભૂલ અને બદલાઈ ગયો ભારતીય ફૂટબોલનો ઈતિહાસ, જાણો શા માટે ભારત ક્યારેય વર્લ્ડ કપ ન રમી શક્યું!
MS Dhoni IPL 2026:IPL 2026 ની શરૂઆત પહેલા જ ચાહકો માટે ખરાબ સમાચાર: એમએસ ધોની શરૂઆતની મેચોમાંથી બહાર, જાણો કેટલી મેચો ગુમાવશે ‘થાલા’?
India vs Ireland T20 2026: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય સેનાનો ડબલ ડોઝ: BCCI એ જાહેર કર્યું ૨૭ જૂનથી શરૂ થનારું નવું શિડ્યુલ
IPL Name Controversy: BCCI વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં ગંભીર આક્ષેપો, આઈપીએલના નામકરણને લઈને શું આવ્યો મોટો ચુકાદો? જાણો સંપૂર્ણ વિગત.
Exit mobile version