Site icon

ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર: કોહલીની મોટી જાહેરાત, T20 ટીમના કેપ્ટન પદેથી આપશે રાજીનામું; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મોટી જાહેરાત કરી છે

પ્રાપ્ત જાણકારી મુજબ કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા ટ્વીટર પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે તે આગામી 2021 ટી 20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ટી 20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનપદેથી રાજીનામું આપશે.

સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં વિરાટ કોહલીએ કહ્યું કે તેણે આ નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લીધો છે. તેમણે કહ્યું કે કામનો બોજ જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ વન-ડે અને ટેસ્ટમાં ભારતની કપ્તાની કરશે. તેમણે પોતાની પોસ્ટમાં એ પણ જાહેરાત કરી છે કે તેઓ એક બૅટ્સમૅન તરીકે T-20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. 

નોંધનીય છે કે વિરાટ કોહલી અત્યાર સુધી કુલ 89 આંતરરાષ્ટ્રીય T-20 મેચ રમ્યા છે. જેમાં તેમણે 52.65 રનની સરેરાશ સાથે કુલ 3,159 રન બનાવ્યા છે.

મુંબઈમાં મહિલાઓ માટે ખાસ રસીકરણ અભિયાન, આવતીકાલે શહેરના આ વેક્સિનેશન સેન્ટર પર માત્ર મહિલાઓને મળશે રસી; જાણો વિગતે 

 

IND vs ENG SemiFinal: ઇંગ્લેન્ડ સામે બદલો લેવાની સુવર્ણ તક! શું ભારત તોડશે સેમીફાઈનલનો ‘અભિશાપ’? જાણો ફાઈનલની ટિકિટ મેળવવા શું છે માસ્ટર પ્લાન.
Rinku Singh Father Death: ટી-૨૦ વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ પર તૂટ્યો દુઃખનો પહાડ: પિતા ખચંદ્ર સિંહનું કેન્સર સામેની જંગમાં અવસાન; ક્રિકેટ જગતમાં શોકની લહેર.
Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
Exit mobile version