Site icon

ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર: કોહલીની મોટી જાહેરાત, T20 ટીમના કેપ્ટન પદેથી આપશે રાજીનામું; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મોટી જાહેરાત કરી છે

પ્રાપ્ત જાણકારી મુજબ કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા ટ્વીટર પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે તે આગામી 2021 ટી 20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ટી 20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનપદેથી રાજીનામું આપશે.

સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં વિરાટ કોહલીએ કહ્યું કે તેણે આ નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લીધો છે. તેમણે કહ્યું કે કામનો બોજ જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ વન-ડે અને ટેસ્ટમાં ભારતની કપ્તાની કરશે. તેમણે પોતાની પોસ્ટમાં એ પણ જાહેરાત કરી છે કે તેઓ એક બૅટ્સમૅન તરીકે T-20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. 

નોંધનીય છે કે વિરાટ કોહલી અત્યાર સુધી કુલ 89 આંતરરાષ્ટ્રીય T-20 મેચ રમ્યા છે. જેમાં તેમણે 52.65 રનની સરેરાશ સાથે કુલ 3,159 રન બનાવ્યા છે.

મુંબઈમાં મહિલાઓ માટે ખાસ રસીકરણ અભિયાન, આવતીકાલે શહેરના આ વેક્સિનેશન સેન્ટર પર માત્ર મહિલાઓને મળશે રસી; જાણો વિગતે 

 

IND vs SA: રોહિત-વિરાટના ODI ભવિષ્ય પર BCCIની અમદાવાદમાં ‘મહાસભા’, ૨૦૨૭ વર્લ્ડ કપ માટે નવો રોડમેપ તૈયાર થશે!
IND vs SA: હાર બાદ સળગતા સવાલો: 408 રનની શરમજનક હાર અને 2-0 થી સિરીઝ ગુમાવ્યા બાદ કોચ ગંભીર પર કેમ ઉઠી રહ્યા છે સવાલો?
India vs South Africa: ટીમ ઈન્ડિયાનો ધબડકો! દક્ષિણ આફ્રિકા સામે ૪૦૮ રનથી હાર, ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટું પતન
Shubman Gill: ટીમ ઇન્ડિયાનો પ્લાન બદલાયો: શુભમન ગિલ અચાનક ગુવાહાટી છોડીને મુંબઈ કેમ ગયો? જાણો તેના પાછળનું સચોટ કારણ.
Exit mobile version