Site icon News Continuous Bureau | Mumbai

મોટી દુર્ઘટના.. રામનવમી પર મંદિરમાં કુવાની છત ધસી પડતા આટલા લોકોના નિપજ્યા મોત, 20ને બચાવાયા..

12 dead as roof of well collapses at city temple

મોટી દુર્ઘટના.. રામનવમી પર મંદિરમાં છત ધરાશાયી, આટલા લોકોના નિપજ્યા મોત, 20ને બચાવાયા..

News Continuous Bureau | Mumbai

સમગ્ર દેશમાં આજે રામ નવમી (રામ નવમી 2023)નો ઉત્સાહ ચાલી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
આજના પાવન દિવસે ઈન્દોરના સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો પગથિયાંથી ઢંકાયેલા કૂવામાં પડી ગયા હતા. જેને લઈ હવે તંત્ર દ્વારા તમામને બચાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં 12 લોકોનું મોત થયું છે અને 20 લોકોને રેસ્ક્યુ કરી બહાર નિકાળવામાં આવ્યા છે. મૃતકોનાં પરિવારને 4-4 લાખનું વળતર આપવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું કે 30 ફૂટ ઊંડા સ્ટેપવેલમાં ચારથી પાંચ ફૂટ પાણી છે. અધિકારીઓને આ પગથિયાં વિશે કોઈ માહિતી નહોતી. અકસ્માત બાદ તેઓને તેની જાણ થઈ હતી. આ અકસ્માત બાદ ચારેબાજુ અફરા-તફરીનો માહોલ હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  વધતી જતી મોંઘવારી વચ્ચે રાહત, 1 એપ્રિલથી આ દવાઓ નહીં થાય મોંઘી, સરકારે આયાત ડ્યૂટી નાબૂદ કરી

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version