Site icon News Continuous Bureau | Mumbai

મોટી દુર્ઘટના.. રામનવમી પર મંદિરમાં કુવાની છત ધસી પડતા આટલા લોકોના નિપજ્યા મોત, 20ને બચાવાયા..

12 dead as roof of well collapses at city temple

મોટી દુર્ઘટના.. રામનવમી પર મંદિરમાં છત ધરાશાયી, આટલા લોકોના નિપજ્યા મોત, 20ને બચાવાયા..

News Continuous Bureau | Mumbai

સમગ્ર દેશમાં આજે રામ નવમી (રામ નવમી 2023)નો ઉત્સાહ ચાલી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
આજના પાવન દિવસે ઈન્દોરના સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો પગથિયાંથી ઢંકાયેલા કૂવામાં પડી ગયા હતા. જેને લઈ હવે તંત્ર દ્વારા તમામને બચાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં 12 લોકોનું મોત થયું છે અને 20 લોકોને રેસ્ક્યુ કરી બહાર નિકાળવામાં આવ્યા છે. મૃતકોનાં પરિવારને 4-4 લાખનું વળતર આપવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું કે 30 ફૂટ ઊંડા સ્ટેપવેલમાં ચારથી પાંચ ફૂટ પાણી છે. અધિકારીઓને આ પગથિયાં વિશે કોઈ માહિતી નહોતી. અકસ્માત બાદ તેઓને તેની જાણ થઈ હતી. આ અકસ્માત બાદ ચારેબાજુ અફરા-તફરીનો માહોલ હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  વધતી જતી મોંઘવારી વચ્ચે રાહત, 1 એપ્રિલથી આ દવાઓ નહીં થાય મોંઘી, સરકારે આયાત ડ્યૂટી નાબૂદ કરી

Mumbai Pune Missing Link Inauguration। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ દેવેન્દ્ર ફડણવીસે પોતે મર્સિડીઝ ચલાવી ટનલની કરી સવારી
Pune Child Rape Murder Case। પુણેમાં માનવતા શર્મસાર 65 વર્ષના વૃદ્ધે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી, રોષે ભરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો
Maharashtra HSC Result 2026। ધોરણ 12 HSC બોર્ડનું પરિણામ આજે થશે જાહેર, જાણો કઈ વેબસાઈટ પરથી જોઈ શકાશે રિઝલ્ટ
Maharashtra Heatwave Alert। સાવધાન મહારાષ્ટ્ર! આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે આગામી ૪૮ કલાકો માટે જાહેર કર્યું એલર્ટ
Exit mobile version