Site icon News Continuous Bureau | Mumbai

આઘાતજનક! મહારાષ્ટ્રના આ વિસ્તારમાં કુપોષણનો આતંક, 15 દિવસમાં આટલાં બાળકોનાં થયાં મોત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રના મેલઘાટ વિસ્તારમાં 15 દિવસમાં 14 બાળકો અને એક ગર્ભવતી મહિલાનું કુપોષણને કારણે મૃત્યુ થયું હોવાનું આઘાતજનક બાબત પ્રકાશમાં આવી છે. જોકે રાજ્ય સરકારે આ વાતને ફગાવી દીધી છે.

બૉમ્બે હાઈ કોર્ટમાં કુપોષણને લઈને એક જનહિતની અરજી પર સુનાવણી ચાલી રહી છે. એમાં અરજદારે 15 દિવસમાં 15 બાળકોનાં મોત થયાં હોવાનો દાવો કર્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કુપોષણથી બાળકોનાં થનારાં મૃત્યુને લઈને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે રાજ્યમાં કુપોષણથી કોઈનું પણ મોત થાય છે તો એ માટે રાજ્યના આરોગ્ય ખાતાના સચિવને જવાબદાર ગણવામાં આવશે.

સંભાળજો! મહારાષ્ટ્રના આટલા ટકા દર્દી મુંબઈ, પુણે સહિત પાંચ જિલ્લામાં, તહેવારોમાં કોરોનાના ચેપનું જોખમ વધવાની આરોગ્યપ્રધાને આપી ચેતવણી; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે કુપોષણને લઈ જનહિતની અરજી પર છેલ્લા ત્રણ દાયકાથી સુનાવણી ચાલી રહી છે. અરજી પણ અત્યાર સુધી સેંકડો આદેશો બહાર પડી ચૂક્યા છે, ત્યારે હાઈ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીએ કહ્યું હતું કે આટલા આદેશ બહાર પડ્યા બાદ પણ રાજ્યના મેલઘાટ અને અન્ય આદિવાસી વિસ્તારમાં કુપોષણની સમસ્યામાં કોઈ ફરક પડ્યો નથી. ગઈ સુનાવણી દરમિયાન કોર્ટે કુપોષણથી કોઈ પણ મૃત્યુ થયું તો એ માટે રાજ્યના આરોગ્ય સચિવ જવાબદાર રહેશે અને તેમની સામે આકરાં પગલાં લેવાની ચેતવણી પણ આપી હતી.

Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Thane vendor washes corn in drain લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં! થાણેની જાંભલી નાકા માર્કેટમાં શાકભાજી વિક્રેતા એ ગટરના પાણીમાં મકાઈ ધોઈ…
Stranded Boisar local train relief બોઈસર સ્ટેશન પર ફસાયેલી લોકલ ટ્રેનના મુસાફરો માટે બચાવ કામગીરી શરૂ, હજારો લોકોને ભોજન અને પાણીનું કરાયું વિતરણ..
Maharashtra Taxi Rules મહારાષ્ટ્રમાં ટેક્સી અને બાઈકટેક્સી માટે નવા નિયમો બહારના લોકો નહીં ચલાવી શકે બાઈકટેક્સી, મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત!
Exit mobile version