Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે જૂથને ઝટકો- ડેપ્યુટી સ્પીકરે 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલી-આ તારીખ સુધીમાં આપવો  

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં(Maharashtra) છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ઉથલપાથલ(Political crisis) ચાલુ છે. આ બધાની વચ્ચે હવે ડેપ્યુટી સ્પીકરની(Deputy Speaker) સક્રિયતા પણ વધી ગઈ છે. રાજકીય ઘમાસાણ(Political turmoil) વચ્ચે ગુવાહાટીમાં(Guwahati) ધામા નાખેલા એકનાથ શિંદે(Eknath Shinde) જૂથના ધારાસભ્યોને(MLA) મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના(Maharashtra Legislative Assembly) ડેપ્યુટી સ્પીકર વતી 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી છે. તેમને 27 જૂને સાંજે 5:30 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે.

સાથે નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ધારાસભ્યો તરફથી કોઈ જવાબ નહીં મળે તો એવું માનવામાં આવશે કે તેમની પાસે કહેવા માટે કંઈ નથી અને કાયદાકીય પ્રક્રિયા(Legal process) મુજબ કાર્યવાહી કરવામાં આવશે.  સવાલ એ છે કે આ બળવાખોર ધારાસભ્યો ત્યાં સુધીમાં હાજર થઈ શકશે કે કેમ? શું બળવાખોર ધારાસભ્યો હવે કાયદા તરફ વળશે? શિવસેના(Shivsena) પાર્ટીના વ્હીપ સુનિલ પ્રભુએ(Whip Sunil Prabhu) તમામ 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટિસ જારી કરી છે. 

આ સમાચાર પણ વાંચો : બળવાખોર ધારાસભ્યોથી નારાજ શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા- મુંબઈમાં શરૂ થયું તોડફોડ સત્ર – જુઓ વીડિયો- જાણો વિગતે   

આ પહેલા શિવસેના દ્વારા 12 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી. જોકે, બાદમાં તે વધારીને 16 કરવામાં આવી હતી.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version