Site icon News Continuous Bureau | Mumbai

કલમ 370 નાબૂદીનાં બે વર્ષ : આતંકવાદ અને પથ્થરબાજીની ઘટનાઓ ઓછી થઈ, જાણો કલમ 370 હટ્યા બાદ આ બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં શું બદલાવ આવ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી 370ની કલમ રદ કરી એને આજે બે વર્ષ થયાં છે. આ કલમ દૂર થતાં કેન્દ્ર સરકારના કાયદા અને લોકકલ્યાણની વિવિધ યોજનાઓ કાશ્મીરમાં અમલમાં આવી શકી છે. એટલું જ નહીં 370 રદ થયા બાદ આ ક્ષેત્રમાં વધુ મૂડીરોકાણ આકર્ષી શકાયું છે, જેના લીધે આ ક્ષેત્રના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો બન્યો છે. 370ની કલમ રદ કરાયા બાદ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો – લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં વહેંચી દેવામાં આવ્યું. સંવિધાનના આ ભાગોના કારણે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો મળ્યો હતો અને પોતાના મૂળ નિવાસી નિયમ બનાવવાનો અધિકાર હતો. જોકે બે વર્ષ બાદ પણ અહીં રાજકીય ઊથલપાથલ ચાલુ જ છે. અનેક રાજકીય પાર્ટીઓ જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો અપાવવા માટે કામ કરી રહી છે.

ચાલો તો જાણીએ કે કલમ 370 નાબૂદી બાદ શું ફેરફાર થયા છે.

Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Exit mobile version