Site icon News Continuous Bureau | Mumbai

Maratha Movement: મંજૂરી માત્ર સાંજ સુધીની હોવા છતાં મરાઠા આંદોલન માટે આ વ્યવસ્થા કરીને આવ્યા આંદોલનકારીઓ

Maratha Movement: રાજ્યના ખૂણે-ખૂણેથી હજારોની સંખ્યામાં મરાઠા સમુદાયના લોકો અનામતની માંગ સાથે મુંબઈ પહોંચ્યા, પરંતુ પોલીસની શરતી મંજૂરીએ આંદોલનકારીઓ માટે પડકાર ઊભો કર્યો.

Maratha Movement મંજૂરી માત્ર સાંજ સુધીની હોવા છતાં મરાઠા આંદોલન

Maratha Movement મંજૂરી માત્ર સાંજ સુધીની હોવા છતાં મરાઠા આંદોલન

News Continuous Bureau | Mumbai
Maratha Movement મરાઠા અનામતની માંગ સાથે રાજ્યના ખૂણે-ખૂણેથી હજારો આંદોલનકારીઓ મુંબઈ પહોંચ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ગુરુવારે રાત્રે ૮:૩૦ વાગ્યા સુધીમાં ૨,૮૦૦ ટ્રક, ટેમ્પો અને અન્ય વાહનો ખાલાપુર ટોલ નાકા પરથી પસાર થયા હોવાનું જાણવા મળ્યું છે, અને ત્યાર બાદ પણ વાહનોની સંખ્યા સતત વધી રહી હતી. આંદોલનકારીઓએ કહ્યું કે, “હવે અમે પીછેહઠ નહીં કરીએ, અનામત લઈને જ જઈશું. અમે ૧૫ દિવસનું રાશન લઈને આવ્યા છીએ, અને જો જરૂર પડશે તો મુંબઈના ભાઈઓનો પણ સહકાર લઈશું. અમે ગાડીમાં જ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી છે. અમે નિર્ધાર કરીને જ આવ્યા છીએ.”

મુંબઈ પહોંચેલા આંદોલનકારીઓની તૈયારી

છત્રપતિ સંભાજીનગર જિલ્લાના વૈજાપુર તાલુકાના મનૂર ગામના આંદોલનકારીઓ ગુરુવારે બપોરે મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં પહોંચ્યા હતા. દરેક ગામથી લોકોએ સ્વતંત્ર વાહનો કરીને આ આંદોલનમાં ભાગ લીધો છે. રહેવા, જમવા અને રાશનની તમામ વ્યવસ્થા સાથે તેઓ આવ્યા છે. એક આંદોલનકારીએ કહ્યું કે, “જાન્યુઆરી ૨૦૨૪માં પણ અમે નવી મુંબઈ આવ્યા હતા. હવે અમે મુંબઈમાં પ્રવેશ કરીશું અને અનામત ન મળે ત્યાં સુધી પાછા નહીં ફરીએ. વરસાદ હોય કે અન્ય કોઈ મુશ્કેલી, અમે આંદોલન ચાલુ જ રાખીશું.”

Join Our WhatsApp Channel

મનોજ જરાંગેના આંદોલન માટે પોલીસની શરતી મંજૂરી

મનોજ જરાંગેના આંદોલનને મુંબઈ પોલીસે બુધવારે શરતી મંજૂરી આપી છે. આ મંજૂરી માત્ર એક દિવસ માટે, સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી જ માન્ય રહેશે. પોલીસે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે સાંજે ૬ વાગ્યા પછી આંદોલનકારીઓને મેદાનમાં રોકાવાની પરવાનગી આપવામાં આવશે નહીં. આઝાદ મેદાનમાં ખાવાનું બનાવવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે અને મેદાનની સ્વચ્છતા જાળવવાની જવાબદારી પણ આંદોલનકારીઓની રહેશે. પોલીસે નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને આંદોલનમાં ભાગ ન લેવા અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે દિલ્હીમાં આપ્યું મોટું નિવેદન, તેમના દ્વારા આવું કહેવાથી ચર્ચા નું બજાર થયું ગરમ

વાહનવ્યવહાર પર અસર

મરાઠા આંદોલનકારીઓ મુંબઈ પહોંચે તે પહેલાં જ જેએનપીએ બંદરની ૨૫ ટકા ભારે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. નવી મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગના ડેપ્યુટી કમિશનર તિરુપતિ કાકડેએ ટ્રાફિકને નિયંત્રિત કરવાના આદેશો આપ્યા છે. તેના કારણે ઉરણ અને જેએનપીએના વિસ્તારોમાં ગુરુવારથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેએનપીએના ડીસીએમ એસ.કે. કુલકર્ણીએ જણાવ્યું કે, ગુરુવારે સિંગાપુર પોર્ટ (PSA) પર કંટેનરની અવરજવર પર ૨૫ ટકા અસર થઈ હતી અને મધ્યરાત્રિ પછી તેમાં વધારો થવાની સંભાવના છે.

Car Falls into Gorge in Mussoorie ઉત્તરાખંડ મસૂરીમાં કાર સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ભયાનક અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત
Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Exit mobile version