Site icon

કાશ્મીરમાં આતંકવાદીઓએ ભાજપના આ નેતાના ઘર પર ગ્રેનેડથી કર્યો હુમલો, 4 વર્ષના બાળકનું મોત અને 7 ઘાયલ ; સેનાનું સર્ચ ઓપરેશન જારી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતાને નિશાન બનાવ્યા છે.  

પ્રાપ્ત માહિતી અનુસાર હાલ રાજૌરીમાં ભાજપના નેતા જસબીર સિંહના ઘર પર આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે.

આ હુમલામાં જસબીર સિંહના 4 વર્ષના ભત્રીજાનું મોત નિપજ્યું છે. જ્યારે પરિવારના અન્ય 7 લોકો ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

ગ્રેનેડ હુમલાની માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. 

આ સાથે અનેક ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા પણ ભાજપના નેતાને નિશાના પર લેવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં હાલત ગંભીર, તાલિબાનીઓએ હવે આ બીજા સૌથી મોટા શહેર પર જમાવ્યો કબજો; જીવ બચાવીને ભાગ્યા અધિકારીઓ
 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version