Site icon News Continuous Bureau | Mumbai

શું કહ્યું?? પારસીઓએ પોતાની જમાત માટે અલગ દવાનો સ્ટોક કરી રાખ્યો. શું દવા-ઇલાજમાં પણ જાત-પાત હોય? વાંચો આ સમાચાર…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

27 જુલાઈ 2020

ભારત અને વિશ્વમાં જેમ જેમ કોરોના નો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ તેની રસી બનાવવાની સ્પર્ધા પણ તીવ્ર બની છે. એવા સમયે એક પારસીએ કોરોનાની રસી બનાવતા બીજા પારસી ઉદ્યોગપતિ ને ટ્વીટ કરી કહ્યું કે "લુપ્ત થતાં આપણા સમુદાય માટે કોરોનાની રસી અનામત રાખશો."  વાત જાણે એમ છે કે ઉધોગપતિના પુત્ર એ એક ટ્વિટ કરી જણાવ્યું હતું કે "તેઓ પારસી સમુદાય માટે કોવિડ19 ની રસીની 60,000 શીશીઓ અલગ રાખશે" વધુમાં કહ્યું હતું કે "ભારતમાં જેટલા પારસીઓ છે એ તમામને આવરી લેવા માટે અમારું એક દિવસ નું ઉત્પાદન પૂરતું છે"   

 ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બોમ્બે પારસી પંચાયતના અધ્યક્ષ એ પણ પૂનાની રસી બનાવતી કંપનીને એક પત્ર લખ્યો હતો કે "કોરોના ની રસી બનાવવામાં તમે સૌથી આગળ છો તો પારસી સમુદાય માટે કેટલોક જથ્થો અનામત રાખશો. પારસીઓની વસતી માત્ર 60 હજાર છે તેમાંથી પણ 40 જેટલા પારસીઓ હાલમાં કોરોના થી મૃત્યુ પામ્યા છે."  

 અહીં એ જાણવું જરૂરી છે કે 'ઓક્સફર્ડ યુનિવર્સિટી' સાથે મળીને હાલ આ પારસી ઉદ્યોગપતિ કોરોનાની રસી બનાવવાની રેસમાં સૌથી આગળ ચાલી રહયાં છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version