Site icon News Continuous Bureau | Mumbai

7 ટાપુનું બનેલું મુંબઈ 7 ઝોનમાં વેચાયું 7 IAS અધિકારીઓ કરશે મોનીટરીંગ

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Community

09 મે 2020 

કોવિડ- 19 ના કેસ સતત વધી રહ્યા હોવાથી, ગુરુવારે એક પરિપત્ર બહાર પાડી જણાવાયું હતું કે શહેરના સાત ઝોનને સાત આઈએએસ અધિકારીઓ મોનીટરીંગ કરશે., જેમાં તમામ 24 નાગરિક વોર્ડને આવરી લેવાયા છે. તેમને 10 થી 20 દિવસ સુધીના પોઝિટિવ કેસના ડબલિંગ રેટમાં સુધારો કરવાના પ્રયત્ન કરવા પડશે એમ પણ કહેવાયું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, આરોગ્ય પ્રધાન સાથે બીએમસીના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બાદ ગુરુવારે આ પરિપત્ર જાહેર કરાયો હતો. આ તમામ સાત લોકોએ દરરોજ સવારથી બપોર 2 વાગ્યા સુધી પોતાના વિસ્તારોની મુલાકાત લેવી પડશે અને બપોરે 3 વાગ્યા પછી ઓફિસમાં હાજર રહેવું પડશે. કમિશનર દ્વારા સાંજના 6 વાગ્યે દૈનિક કાર્યની બ્રીફિંગ અપાશે. એક્શન પ્લાનમાં હકારાત્મક કેસોની મેપિંગ, ઉચ્ચ અને ઓછા જોખમવાળા સંપર્કોને શોધી કાઢવા, કન્ટેન્ટ ઝોનનો કડક અમલ કરવો, ઘર-ઘર-સર્વેક્ષણ અને સર્વેલન્સ, સિનિયર સિટિઝન્સની ઓળખ અને તેમની સારવાર, તાવ ક્લિનિક્સનું સંચાલન, ખાનગી નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલો, રોગનિવારક વ્યક્તિઓનું પરીક્ષણ અને કોવિડ કેર સેન્ટર્સ 1 અને 2 ની ખાતરી કરી વ્યવથીત રીતે કામ કરવામાં આવે એની ખાતરી તમામ 7 અધિકારીઓએ રાખવી પડશે..

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version