Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં અંધેર રાજ. આશરે 75% covid ના દર્દીઓ પાસેથી ઠગાઈ થઈ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર 

કોરોના રોગચાળા દરમિયાન દર્દીઓના પરિવારોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

દરમિયાન મહારાષ્ટ્રમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં ખુલાસો થયો છે કે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનારા કોવિડગ્રસ્તોમાંના લગભગ 75 ટકા દર્દીઓ પાસેથી વધુ પડતો ચાર્જ લેવાયો છે.   

સર્વેક્ષણમાં રાજ્યના 34 જિલ્લાના 2579 દર્દીઓ તથા તેમના પરિવારોને આવરી લેવાયા હતા. આ દર્દીઓ પૈકી 95.4 ટકાએ ખાનગી હોસ્પિટલો જ્યારે 4.6 ટકાએ સાર્વજનિક હોસ્પિટલોમાં સારવાર લીધી હતી.

હેલ્થ એક્ટિવિસ્ટોએ કહ્યું કે સર્વેક્ષણમાં જાણવા મળેલી માહિતી આઘાતજનક છે. રાજ્યના સત્તાવાળાઓ ઓવર ચાર્જિંગનાં બિલોનું વિગતે ઓડિટ કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

જન આરોગ્ય અભિયાન તથા મહારાષ્ટ્ર કોરોના એકલ મહિલા પુનર્વસન સમિતિએ સાથે મળીને આ સર્વેક્ષણ કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે ખાનગી હોસ્પિટલોના કોવિડ સારવાર શુલ્ક પર પાંચ કાયદા હેઠળ નિયંત્રણો મૂક્યા હતા. તેણે બીજી લહેર વખતે પણ આ નિયંત્રણોની મુદત લંબાવી હતી.

 

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version