Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં અંધેર રાજ. આશરે 75% covid ના દર્દીઓ પાસેથી ઠગાઈ થઈ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર 

કોરોના રોગચાળા દરમિયાન દર્દીઓના પરિવારોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

દરમિયાન મહારાષ્ટ્રમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં ખુલાસો થયો છે કે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનારા કોવિડગ્રસ્તોમાંના લગભગ 75 ટકા દર્દીઓ પાસેથી વધુ પડતો ચાર્જ લેવાયો છે.   

સર્વેક્ષણમાં રાજ્યના 34 જિલ્લાના 2579 દર્દીઓ તથા તેમના પરિવારોને આવરી લેવાયા હતા. આ દર્દીઓ પૈકી 95.4 ટકાએ ખાનગી હોસ્પિટલો જ્યારે 4.6 ટકાએ સાર્વજનિક હોસ્પિટલોમાં સારવાર લીધી હતી.

હેલ્થ એક્ટિવિસ્ટોએ કહ્યું કે સર્વેક્ષણમાં જાણવા મળેલી માહિતી આઘાતજનક છે. રાજ્યના સત્તાવાળાઓ ઓવર ચાર્જિંગનાં બિલોનું વિગતે ઓડિટ કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

જન આરોગ્ય અભિયાન તથા મહારાષ્ટ્ર કોરોના એકલ મહિલા પુનર્વસન સમિતિએ સાથે મળીને આ સર્વેક્ષણ કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે ખાનગી હોસ્પિટલોના કોવિડ સારવાર શુલ્ક પર પાંચ કાયદા હેઠળ નિયંત્રણો મૂક્યા હતા. તેણે બીજી લહેર વખતે પણ આ નિયંત્રણોની મુદત લંબાવી હતી.

 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version