Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો!! ઔરંગઝેબની કબર પર પોલીસ બંદોબસ્ત, પર્યટકો માટે બંધ કરી નાખવામાં આવી.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

હાલ વારાણસીમાં(Varanasi) જ્ઞાનવ્યાપી મસ્જિદનો(Gyanvapi Masjid) મુદ્દાએ જોર પકડ્યું છે તેમાં પાછું MIMના નેતા અકબરૂદ્દીન ઓવૈસીએ(Akbaruddin Owaisi) ઔરંગાબાદમાં(Aurangabad) ઔરંગઝેબની(Aurangzeb) કબર મુલાકાત લીધા બાદ ધાર્મિક સ્થળો(religious Places) પર તણાવ વધી ગયો છે. મંગળવારે ઔરંગઝૈબની કબર નજીક તણાવ વધી ગયો હતો. તેથી પર્યટકો(Tourists) માટે હાલ પૂરતું કબર બંધ કરવાનો નિર્ણય સ્થાનિક પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

મંગળવારે ઔરંગઝેબની કબર પાસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અનેક અફવાએ દિવસભર જોર પકડ્યું અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર જવાની શક્યતા જણાઈ હતી. તેથી પોલીસે કબર પાસેનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. સાથે જ પોલીસ સુરક્ષા(Police security) પણ વધારી દેવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના આ હત્યારાને જામીન પર મુક્ત કરવા આદેશ.. જાણો વિગતે 

અહીં ઉલ્લેખનીય છે કે MNS મોગલ બાદશાહ ઔરંગઝેબની(Mughal Emperor Aurangzeb) કબરને જમીનદોસ્ત કરવાની માગણી કરી રહ્યું છે. MNSના સ્થાનિક નેતાએ વિવાદાસ્પદ ટ્વિટ (Controversial tweet) કરીને કહ્યું હતું કે શિવાજી મહારાજની(Shivaji Maharaj) ભૂમિ પર ઔરંગઝેબની કબરની શું જરૂરત છે. જમીનદોસ્ત કરો આ કબરને, તેથી તેની ઔલાદો અહીં માથું ટેકવા આવે નહી.
 

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version