Site icon

તહેવારોની સિઝનમાં પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન – આ તારીખથી શરૂ થઈ રહ્યું છે બુકીંગ

Railway News: Western Railway to run Ganpati Festival Special Train between Ahmedabad and Kudal

Railway News: Western Railway to run Ganpati Festival Special Train between Ahmedabad and Kudal

News Continuous Bureau | Mumbai

 દિવાળીના (Diwali 2022) તહેવારને અને મુસાફરોની સુવિધાને તહેવારોની ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવેએ (Western railway) અમદાવાદ અને ઓખા વચ્ચે વધારાની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેન ખાસ ભાડા પર 10 ટ્રીપ ચલાવશે.

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ(Ahmedabad-Okha Superfast Special) અમદાવાદથી દર શનિવારે 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.25 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 29 ઓક્ટોબર 2022 થી 26 નવેમ્બર 2022 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ઓખાથી દર રવિવારે 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 30 ઓક્ટોબર 2022 થી 27 નવેમ્બર 2022 સુધી ચાલશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણી કપાત-આજે આખો દિવસ બંધ રહેશે પાણીનો સપ્લાય

આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા તેમ જ દ્વારકા સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે. ટ્રેન નંબર 09435/36નું બુકિંગ 19 ઓક્ટોબર, 2022થી પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને અન્ય વિગતવાર માહિતી માટે આ વેબસાઈટ પર www.enquiry.indianrail.gov.in  પર મુલાકાત લઈ શકો છો.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version