Site icon

શિવસેનાને કારણે વેપારીઓને નુકસાન થયું, ભાજપના આ ધારાસભ્ય કોર્ટમાં જશે અને વળતર માગશે;જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 
મંગળવાર
મહાવિકાસ આઘાડી (MVA) સરકારના ત્રણે પક્ષોએ સોમવારે જાહેર કરેલા મહારાષ્ટ્ર બંધને કારણે મુંબઈ સહિત રાજ્યમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી. બંધને પગલે વેપારીઓને ભારે નુકસાન થયું હતું, ત્યારે વેપારીઓને થયેલા આ નુકસાનની ભરપાઈ આ ત્રણે પક્ષો પાસેથી કરાવવાની માગણી ભાજપના કાંદિવલીના ધારાસભ્ય અતુલ ભાતખળકરે કરી છે. આ માગણી સાથે તેઓ કોર્ટમાં જવાના છે. 
અતુલ ભાતખળકરના જણાવ્યા મુજબ સોમવારના જાહેર કરવામાં આવેલો મહારાષ્ટ્ર બંધ ગેરકાયદે હતો. કોરોનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનમાં મહિનાઓ સુધી દુકાનો બંધ રહી હતી. હવે અનલૉક  બાદ અર્થતંત્રની ગાડી ધીમે ધીમે પાટે ચઢી છે. એમાં શિવસૈનિકોએ જબરદસ્તીથી મુંબઈ સહિત રાજ્યમાં દુકાનો બંધ કરાવી હતી. આ એક દિવસના બંધને કારણે વેપાર-ધંધાને મોટુ નુકસાન થયું છે. 

ભારતના આ પાડોશી દેશના લોકો મોંઘવારીથી ત્રાહિમામ, એલપીજીની કિંમત લગભગ બમણી; એક કિલો દૂધનો ભાવ જાણીને દંગ રહી જશો

Join Our WhatsApp Community

તહેવારોની મોસમ છે અને ખરીદદારી માંડ ઊપડી છે, ત્યારે ગેરકાયદે રીતે બંધ જાહેર કરીને વેપારીઓની સાથે રાજ્યના અર્થતંત્રને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વેપારીઓને થયેલા નુકસાનની ભરપાઈ મહાવિકાસ આઘાડીની સરકારે કરવી જોઈએ. આ માગણી તેઓ કોર્ટમાં કરવાના હોવાનું અતુલ ભાતખળકરે કહ્યું હતું.
 

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version