Site icon News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરેની જાહેરાત પછી મુસલમાનોનું મૌન.  આ નેતાએ કહ્યું કે રાજ ઠાકરેએ શાસનને પડકાર ફેંક્યો છે મુસલમાનોને નહીં… અમે કશું જ નહીં બોલીએ…

 News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) એક નવો વળાંક આવ્યો છે. સાંસદ સભ્ય ઈમ્તિયાઝ જલીલ(MP Imtiaz Jaleel) કે જે એમઆઈએમના(AIMIM) નેતા પણ છે તેમણે નિવેદન આપ્યું છે કે રાજ ઠાકરેની રણનીતિ ઉપર કોઈપણ મુસલમાન પોતાની પ્રતિક્રિયા નહીં આપે. પોતાની વાતને આગળ ધપાવતા તેમણે કહ્યું હતું કે રાજ ઠાકરેએ(Raj thackeray) રાજ્યશાસન ને પડકાર ફેંક્યો છે.  તેમણે મુસલમાનોને પડકાર ફેંક્યો નથી. આ આખો મુદ્દો કાયદા અને વ્યવસ્થા સાથે જોડાયેલો છે નહીં કે મુસ્લિમ કોમ્યુનીટી(Muslim community) સાથે. આમ રાજ ઠાકરેના નિવેદન પછી મુસલમાનોએ કોઈપણ જાતનું નિવેદન આપ્યું નથી. માત્ર ઈમ્તિયાઝ નહીં પરંતુ અન્ય મુસ્લિમ નેતાઓ પણ આ વિષય સંદર્ભે એકદમ ચૂપ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  બાળાસાહેબ ભોળા હતા એટલું નક્કી…. પણ કપટી અને પીઠમાં ખંજર ભોંકનાર તો નહોતા જ. ભાજપનો ઉદ્ધવ ઠાકરેને પ્રત્યુતર…..

 હવે જોવાનું એ રહેશે કે જ્યારે રાજ ઠાકરેનું આંદોલન(Protest) રસ્તા પર ઉતરી આવે છે ત્યારે મહારાષ્ટ્રની મુસ્લિમ કમ્યુનિટી તે સંદર્ભે શું વલણ અપનાવે છે.

Gujarat Independence Day Celebration ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી રાજ્યભરમાં હાથ ધરાશે વ્યાપક સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન
Supriya Sule NCP Sharad Pawar Statement “અસલી રાષ્ટ્રવાદી કોની?” સુપ્રિયા સુળેએ વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ, પવાર સાહેબના વારસા પર કરી મોટી વાત
Nashik Earthquake મહારાષ્ટ્રના આ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા; લોકોમાં ફફડાટ, ઘરોમાંથી બહાર દોડી આવ્યા
Chamoli Pipalkoti Tunnel Accident ચમોલીમાં THDC ટનલમાં 22 કામદારો અંદર હતા ને અચાનક કાદવપાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો; આટલા શ્રમિકોએ ગુમાવ્યો જીવ..
Exit mobile version