Site icon

ભાજપના આ નેતાએ મહારાષ્ટ્ર સરકારને ફરી કોલ્હાપુર જવાની ચીમકી આપી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

મહાવિકાસ આઘાડીના ગ્રામવિકાસ મંત્રી હસન મુશ્રીફના કૌભાંડના વિરોધમાં મુરગૂડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા માટે 28 સપ્ટેમ્બરના કોલ્હાપુર જવાની જાહેરાત ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ કરી છે. તે બાબતે તેમણે કલેકટર રાહુલ રેખાવારને પત્ર લખીને જાણ કરી દીધી છે.

બે દિવસ પહેલા પણ કિરીટ સોમૈયાએ કોલ્હાપુર જવાની જાહેરાત કરી હતી. પરંતુ કોલ્હાપૂરના કલેકટરે તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. છતાં સોમૈયા કહાડ સુધી ગયા હતા. ત્યાં તેમને પોલીસે અટકાવતા ત્યાંથી તેમણે પાછા ફરવું પડયું હતું. હવે તેઓ ફરી મંગળવારે કોલ્હાપુર જવાના છે, એવી જાહેરાત તેમણે કરી છે.

 આ દરમિયાન કોલ્હાપુરની શાંતિ બગાડવી નહીં. સ્થાનિક લોકોને ઉશ્કેરીને રાજકારણ કરવું નહીં એવી ચીમકી કોલ્હાપુર નાગરી કૃતિ સમિતિએ કિરીટ સોમૈયાને આપી છે. તો સ્થાનિક રાષ્ટ્રવાદીના નેતાઓએ કિરીટ સોમૈયા સામે કાયદાનો ભંગ કરવા બદલ કાયદેસર પગલા લેવાની મુખ્યપ્રધાન સક્ષમ માગણી કરી છે.

દિલ્હીની સરકારી હોસ્પિટલમાં છૂપાવેશે પહોંચેલા મંત્રી મનસુખ માંડવિયા સાથે એવું તે શું થયું? કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ વાત કહેવી પડી: જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ કિરીટ સોમૈયા કોલ્હાપુર જવા નીકળ્યા હતા. પરંતુ પોલીસે અગાઉ તેમના મુલુંડના નિવાસસ્થાન પર તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ કિરીટ સોમૈયા કોલ્હાપુર જવા માટે ટ્રેન પકડવા  છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર ગયા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને રોકી દેવામાં આવ્યા હતા.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version