Site icon

ભાજપના આ નેતાએ મોદી સરકારને તમામ મોર્ચે નિષ્ફળ ગણાવી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 26 નવેમ્બર  2021    
શુક્રવાર.

બટકબોલા ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણીયમ સ્વામી પોતાની તીખી જબાન માટે જાણીતા છે. કોઈ પણ શેહ શરમ રાખ્યા વગર મોઢા પર બોલી નાખનારા સુબ્રમણ્યમે 25 નવેમ્બરના એક ટ્વિટમાં મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું હતું અને મોદી સરકારને તમામ મોરચે નિષ્ફળ ગણાવી હતી.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, આ કેન્દ્રીય મંત્રીએ ર્ક્યો નવો દાવો કહ્યું- મહા વિકાસ અઘાડી સરકાર ટૂંક સમયમાં પડી જશે

દેશની આંતરિક સુરક્ષા, અર્થતંત્ર, સીમા સુરક્ષા, અફઘાનિસ્તાનમાં  નિષ્ફળ ગયેલી વિદેશ નિતી, પેગાસસ જેવા મુદ્દા પર કેન્દ્ર સરકાર સરકારને તેમણે નિષ્ફળ ગણાવી હતી, સાથે જ તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ બધા માટે સુબ્રમણીયમ જવાબદાર છે.
 સુબ્રમણ્યમ અનેક વખત ટ્વિટર પર મોદી સરકારની નિતીઓ પર ટીકા કરતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે હજી 24 નવેમ્બરના જ તેઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ તૃણમુલ કોંગ્રેસમાં જોડાવાના હોવાની અફવાએ જોર પકડયું છે.

Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Exit mobile version