Site icon

અનિલ દેશમુખ પ્રકરણે CBIએ આ બે અધિકારીઓને સમન્સ મોકલ્યા, પણ અધિકારીઓએ કાર્યાલયમાં જવાનું નકારી દીધું; છેવટે CBIએ કરી વિનંતી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર ૧૦૦ કરોડની વસૂલીનો આરોપ છે. આ પ્રકરણે CBI  તપાસ કરી રહી છે. એમાં CBIએ અનેક અધિકારીઓના જવાબ નોંધ્યા છે. તપાસના એક ભાગ તરીકે હજી બે સાક્ષીઓના જવાબ નોંધાયા નથી. આ બે સાક્ષીઓ રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે અને પોલીસ મહાસંચાલક સંજય પાંડે છે.

CBIએ સીતારામ કુંટે અને સંજય પાંડેને સમન્સ મોકલ્યા હતા. CBIએ આ બાબતે અધિકૃત માહિતી રજૂ નથી કરી, પરંતુ બન્નેને ક્યારે અને કેટલા વાગ્યા સુધી તપાસ માટે બોલાવાશે એની સવિસ્તર માહિતી આપવામાં આવશે. જોકે સીતારામ કુંટે અને સંજય પાંડેએ CBI કાર્યાલયમાં જવાનું નકારી દીધું છે. આ પહેલાં બન્ને અધિકારીઓએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા CBI સાથે ચર્ચા કરી હતી. CBIએ જવાબ નોંધવાનું આવશ્યક હોવાથી બંને અધિકારીઓને કાર્યાલયમાં આવવાની વિનંતી કરી છે.

Join Our WhatsApp Community

સ્કૂલના પુસ્તકો વેચીને મુંબઈ આવ્યા હતા બોલિવૂડના ‘લાયન’ અજીત, આ કારણથી બન્યા ફિલ્મમાં વિલન; વાંચો રોચક કિસ્સો

Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
GujaratHealthScheme: સરકારની આર.બી.એસ.કે.યોજનાની કમાલઃ દોઢ વર્ષની પ્રિશા આજે સ્વસ્થ બની હસતી-રમતી કિલકિલાટ કરે છે
Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
Exit mobile version