Site icon

અનિલ દેશમુખ પ્રકરણે CBIએ આ બે અધિકારીઓને સમન્સ મોકલ્યા, પણ અધિકારીઓએ કાર્યાલયમાં જવાનું નકારી દીધું; છેવટે CBIએ કરી વિનંતી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર ૧૦૦ કરોડની વસૂલીનો આરોપ છે. આ પ્રકરણે CBI  તપાસ કરી રહી છે. એમાં CBIએ અનેક અધિકારીઓના જવાબ નોંધ્યા છે. તપાસના એક ભાગ તરીકે હજી બે સાક્ષીઓના જવાબ નોંધાયા નથી. આ બે સાક્ષીઓ રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે અને પોલીસ મહાસંચાલક સંજય પાંડે છે.

CBIએ સીતારામ કુંટે અને સંજય પાંડેને સમન્સ મોકલ્યા હતા. CBIએ આ બાબતે અધિકૃત માહિતી રજૂ નથી કરી, પરંતુ બન્નેને ક્યારે અને કેટલા વાગ્યા સુધી તપાસ માટે બોલાવાશે એની સવિસ્તર માહિતી આપવામાં આવશે. જોકે સીતારામ કુંટે અને સંજય પાંડેએ CBI કાર્યાલયમાં જવાનું નકારી દીધું છે. આ પહેલાં બન્ને અધિકારીઓએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા CBI સાથે ચર્ચા કરી હતી. CBIએ જવાબ નોંધવાનું આવશ્યક હોવાથી બંને અધિકારીઓને કાર્યાલયમાં આવવાની વિનંતી કરી છે.

Join Our WhatsApp Community

સ્કૂલના પુસ્તકો વેચીને મુંબઈ આવ્યા હતા બોલિવૂડના ‘લાયન’ અજીત, આ કારણથી બન્યા ફિલ્મમાં વિલન; વાંચો રોચક કિસ્સો

BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Exit mobile version