Site icon

રાજ્યના સહકારી ક્ષેત્રને લઈ શરદ પવારે આપ્યું નિવેદન; કહ્યું કેન્દ્ર આમાં દખલગીરી કરી શકે નહીં, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે રવિવારે માહિતી આપી હતી કે મહારાષ્ટ્ર વિધાનસભામાં સહકાર ક્ષેત્ર પરનો કાયદો ઘડવામાં આવ્યો છે અને કહ્યું કે કેન્દ્રને રાજ્ય દ્વારા ઘડવામાં આવેલા કાયદામાં દખલ કરવાનો અધિકાર નથી. પૂણેના બારામતીમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા પવારે આ વાત સ્પષ્ટ કરી હતી.

શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં સહકાર ક્ષેત્રને લગતા કાયદા બનાવવામાં આવે છે. મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા તૈયાર કરાયેલા કાયદામાં કેન્દ્રને દખલ કરવાનો અધિકાર નથી. કેન્દ્રીય સહકાર મંત્રાલયના રાજ્યમાં સમસ્યાઓ સર્જવાના અહેવાલોમાં કોઈ તથ્યો નથી કારણ કે આ મામલો બંધારણીય રૂપે રાજ્ય સરકારનો છે.તેમણે ઉમેર્યું હતું કે મલ્ટી-સ્ટેટ એટલે કે એક સંસ્થા જે બે રાજ્યોમાં ચાલે છે તેનો અધિકાર કેન્દ્રમાં સરકાર પાસે છે.

તો હવે આ શરતે જ શરૂ થશે મુંબઈમાં નવું કોવિડ સેન્ટર; પાલિકાએ કરી સ્પષ્ટતા, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે એક અલગ કેન્દ્રીય સહકાર મંત્રાલય બનાવવાની ઘોષણા કરી હતી. જે વિષય અત્યાર સુધી કૃષિ મંત્રાલય દ્વારા સંભાળવામાં આવતો હતો. ૭ જુલાઈના તાજેતરના કેબિનેટ વિસ્તરણ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહએ નવા મંત્રાલયનો પોર્ટફોલિયો બહાર પાડ્યો હતો.

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version