Site icon

રાજ્યના સહકારી ક્ષેત્રને લઈ શરદ પવારે આપ્યું નિવેદન; કહ્યું કેન્દ્ર આમાં દખલગીરી કરી શકે નહીં, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે રવિવારે માહિતી આપી હતી કે મહારાષ્ટ્ર વિધાનસભામાં સહકાર ક્ષેત્ર પરનો કાયદો ઘડવામાં આવ્યો છે અને કહ્યું કે કેન્દ્રને રાજ્ય દ્વારા ઘડવામાં આવેલા કાયદામાં દખલ કરવાનો અધિકાર નથી. પૂણેના બારામતીમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા પવારે આ વાત સ્પષ્ટ કરી હતી.

શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં સહકાર ક્ષેત્રને લગતા કાયદા બનાવવામાં આવે છે. મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા તૈયાર કરાયેલા કાયદામાં કેન્દ્રને દખલ કરવાનો અધિકાર નથી. કેન્દ્રીય સહકાર મંત્રાલયના રાજ્યમાં સમસ્યાઓ સર્જવાના અહેવાલોમાં કોઈ તથ્યો નથી કારણ કે આ મામલો બંધારણીય રૂપે રાજ્ય સરકારનો છે.તેમણે ઉમેર્યું હતું કે મલ્ટી-સ્ટેટ એટલે કે એક સંસ્થા જે બે રાજ્યોમાં ચાલે છે તેનો અધિકાર કેન્દ્રમાં સરકાર પાસે છે.

તો હવે આ શરતે જ શરૂ થશે મુંબઈમાં નવું કોવિડ સેન્ટર; પાલિકાએ કરી સ્પષ્ટતા, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે એક અલગ કેન્દ્રીય સહકાર મંત્રાલય બનાવવાની ઘોષણા કરી હતી. જે વિષય અત્યાર સુધી કૃષિ મંત્રાલય દ્વારા સંભાળવામાં આવતો હતો. ૭ જુલાઈના તાજેતરના કેબિનેટ વિસ્તરણ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહએ નવા મંત્રાલયનો પોર્ટફોલિયો બહાર પાડ્યો હતો.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version