Site icon News Continuous Bureau | Mumbai

રાજ્યના સહકારી ક્ષેત્રને લઈ શરદ પવારે આપ્યું નિવેદન; કહ્યું કેન્દ્ર આમાં દખલગીરી કરી શકે નહીં, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે રવિવારે માહિતી આપી હતી કે મહારાષ્ટ્ર વિધાનસભામાં સહકાર ક્ષેત્ર પરનો કાયદો ઘડવામાં આવ્યો છે અને કહ્યું કે કેન્દ્રને રાજ્ય દ્વારા ઘડવામાં આવેલા કાયદામાં દખલ કરવાનો અધિકાર નથી. પૂણેના બારામતીમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા પવારે આ વાત સ્પષ્ટ કરી હતી.

શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં સહકાર ક્ષેત્રને લગતા કાયદા બનાવવામાં આવે છે. મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા તૈયાર કરાયેલા કાયદામાં કેન્દ્રને દખલ કરવાનો અધિકાર નથી. કેન્દ્રીય સહકાર મંત્રાલયના રાજ્યમાં સમસ્યાઓ સર્જવાના અહેવાલોમાં કોઈ તથ્યો નથી કારણ કે આ મામલો બંધારણીય રૂપે રાજ્ય સરકારનો છે.તેમણે ઉમેર્યું હતું કે મલ્ટી-સ્ટેટ એટલે કે એક સંસ્થા જે બે રાજ્યોમાં ચાલે છે તેનો અધિકાર કેન્દ્રમાં સરકાર પાસે છે.

તો હવે આ શરતે જ શરૂ થશે મુંબઈમાં નવું કોવિડ સેન્ટર; પાલિકાએ કરી સ્પષ્ટતા, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે એક અલગ કેન્દ્રીય સહકાર મંત્રાલય બનાવવાની ઘોષણા કરી હતી. જે વિષય અત્યાર સુધી કૃષિ મંત્રાલય દ્વારા સંભાળવામાં આવતો હતો. ૭ જુલાઈના તાજેતરના કેબિનેટ વિસ્તરણ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહએ નવા મંત્રાલયનો પોર્ટફોલિયો બહાર પાડ્યો હતો.

Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Tukaram Mundhe FDA Guidelines તુકારામ મુંઢેનો મોટો નિર્ણય મહાપ્રસાદ અને ભંડારા વિતરણ માટે એફડીએની પરવાનગી લેવી ફરજિયાત
Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો
Exit mobile version