Site icon

કોંગ્રેસ નેતાનું અક્કલનું પ્રદર્શન- કહ્યું- ચિત્તાને કારણે દેશમાં ફેલાયો લંપી વાયરસ- ભાજપે આપ્યો આ વળતો જવાબ 

News Continuous Bureau | Mumbai

લમ્પી સ્કિન ડિસીઝ(Lumpy skin disease) દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. ગાયો(Cow)માં ફેલાતા આ ખતરનાક રોગને કારણે અત્યાર સુધીમાં લાખો ગાયોના મોત થયા છે. પશુઓમાં તેજીથી ફેલાઈ રહેલો લમ્પી વાયરસ(Lumpy virus) ચિંતાનું કારણ બનતો જઈ રહ્યો છે. દરમિયાન તેને લઇને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ(Maharashtra Congress President) નાના પટોલે(Nana Patole) એ વિચિત્ર નિવેદન આપ્યુ છે. તેમણે એક વિચિત્ર દાવા સાથે ભારતીય જનતા પાર્ટી(BJP) પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ભારત(India) માં લમ્પી વાયરસ નાઇજીરીયા થી આવ્યો છે અને ત્યાંથી જ ગત મહિને આઠ ચિત્તા(Cheetah) પણ લાવવામાં આવ્યા છે. જે અહીં પશુઓમાં આ બીમારી ફેલાવી રહ્યાં છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેના આ ઉપરોક્ત નિવેદન બાદ ભાજપે(BJP) તેમના પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપે કોંગ્રેસ નેતા નાના પટોલેના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું કે, તેમણે આ બીમારીને હાસ્યાસ્પદ મુદ્દો બનાવી દીધો છે. નાના પટોલેને લાગે છે કે લમ્પી વાયરસ ચિત્તાઓ દ્વારા ફેલાય છે, જ્યારે આ ચિત્તા ક્યાંથી આવ્યા છે તે ખબર નથી. પ્રથમ, તેઓએ તેમની માહિતીને ઠીક કરવી જોઈએ તે પછી આ ચિત્તાઓ પર ટિપ્પણી કરવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : એક તરફ 19 કરોડ લોકો ભૂખ્યા સુવે છે બીજી તરફ ભારતીયો વિશ્વમાં સૌથી વધુ ખોરાક બગાડે છે- ચોંકાવનારી વિગતો સામે આવી

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક(Kuno National Park) માં નામીબિયા(Namibia)થી આવેલા આઠ ચિત્તાઓને માત્ર 17 દિવસ થયા છે. તમામ ચિત્તાઓને અલગ-અલગ એન્ક્લોઝરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ આ ચિત્તા અંગે કરેલું નિવેદન ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યું છે.

Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Exit mobile version