Site icon

અયોધ્યામાં મહાજમીન કૌભાંડ: પાંચ મિનિટમા જમીનની કિંમતમાં થયો આટલા કરોડનો વધારો, કોંગ્રેસના આ નેતાએ કર્યો આરોપ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Community

શુક્રવાર.

અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિરના આસપાસની જમીનનું ગેરકાયદેસર રીતે વેચાણ અને ખરીદી થઈ  હોવાનો અહેવાલ એક જાણીતા અખબારે બહાર પાડયો છે. આ અહેવાલને પગલે ખળભળાટ મચી ગયો છે, ત્યારે કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ પ્રભુ રામના અયોધ્યામાં મહાજમીન કૌભાંડ થયું હોવાનો આરોપ કર્યો છે. ફક્ત પાંચ મિનિટમાં જમીનની કિંમત 16.5 કરોડ રૂપિયા કેવી રીતે વધી ગઈ? એવો સવાલ પણ તેમણે કર્યો છે.

 અયોધ્યામાં આ મહાજમીન કૌભાંડ થયું હોવાનું બહાર આવતા જ જાગેલી ઉત્તર પ્રદેશ સરકારે જિલ્લા પ્રશાસનને તપાસનો આદેશ આપ્યો છે. જોકે તેની સામે પ્રિયંકા ગાંધીએ વાંધો ઉઠાવીને આક્ષેપ કર્યો છે કે અયોધ્યાના જમીન કૌભાંડ બાબતે યોગી સરકાર ગંભીર નથી.

ધર્માંતરણ પર કસાયો સકંજો: વિપક્ષના હોબાળા વચ્ચે આ ભાજપ શાસિત રાજ્યના વિધાનસભામાં ધાર્મિક સ્વતંત્રતા રક્ષણ બિલ 2021 પસાર

મિડિયાના અહેવાલ મુજબ મંદિરના આસપાસના વિસ્તારમાં રહેતા દલિત સ્થાનિક ગ્રામીણ લોકો પાસેથી સરકારી અધિકારી, ભૂતપૂર્વ ધારાસભ્ય, ભૂતપૂર્વ મેયર, અનેક પોલીસ અધિકારી, બ્યુરોકેટસ સહિત તેમના સગાસંબંધીઓએ પાણીના ભાવે જમીન ખરીદી છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version