Site icon

અયોધ્યામાં મહાજમીન કૌભાંડ: પાંચ મિનિટમા જમીનની કિંમતમાં થયો આટલા કરોડનો વધારો, કોંગ્રેસના આ નેતાએ કર્યો આરોપ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Community

શુક્રવાર.

અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિરના આસપાસની જમીનનું ગેરકાયદેસર રીતે વેચાણ અને ખરીદી થઈ  હોવાનો અહેવાલ એક જાણીતા અખબારે બહાર પાડયો છે. આ અહેવાલને પગલે ખળભળાટ મચી ગયો છે, ત્યારે કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ પ્રભુ રામના અયોધ્યામાં મહાજમીન કૌભાંડ થયું હોવાનો આરોપ કર્યો છે. ફક્ત પાંચ મિનિટમાં જમીનની કિંમત 16.5 કરોડ રૂપિયા કેવી રીતે વધી ગઈ? એવો સવાલ પણ તેમણે કર્યો છે.

 અયોધ્યામાં આ મહાજમીન કૌભાંડ થયું હોવાનું બહાર આવતા જ જાગેલી ઉત્તર પ્રદેશ સરકારે જિલ્લા પ્રશાસનને તપાસનો આદેશ આપ્યો છે. જોકે તેની સામે પ્રિયંકા ગાંધીએ વાંધો ઉઠાવીને આક્ષેપ કર્યો છે કે અયોધ્યાના જમીન કૌભાંડ બાબતે યોગી સરકાર ગંભીર નથી.

ધર્માંતરણ પર કસાયો સકંજો: વિપક્ષના હોબાળા વચ્ચે આ ભાજપ શાસિત રાજ્યના વિધાનસભામાં ધાર્મિક સ્વતંત્રતા રક્ષણ બિલ 2021 પસાર

મિડિયાના અહેવાલ મુજબ મંદિરના આસપાસના વિસ્તારમાં રહેતા દલિત સ્થાનિક ગ્રામીણ લોકો પાસેથી સરકારી અધિકારી, ભૂતપૂર્વ ધારાસભ્ય, ભૂતપૂર્વ મેયર, અનેક પોલીસ અધિકારી, બ્યુરોકેટસ સહિત તેમના સગાસંબંધીઓએ પાણીના ભાવે જમીન ખરીદી છે.

Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Exit mobile version