Site icon News Continuous Bureau | Mumbai

સુરતમાં ભાજપના કાર્યક્રમ હોવાથી સામાન્ય પ્રજા માટે રસ્તો બંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

સુરત શહેરના રિંગ રોડ પર ટેક્સટાઈલના ધંધા સાથે સંકળાયેલા લોકો કે જેઓ અડાજણ, રાંદેર, પાલનપુર પાટિયા વિસ્તારમાં રહે છે તેઓને ઉધના દરવાજાથી ડાબી સાઇડે રોકડિયા હુનુમાન મંદિરથી કેનાલ રોડ થઈને અણુવ્રત દ્વાર થઈને સિટીલાઇટ એસવીએનઆઈટીથી પાલ ઉમરા બ્રિજ થઈને જવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. આમ, લોકોને ૩થી ૪ કિલોમીટરનો ચકરાવો થશે. રાંદેર અડાજણ તરફથી રિંગ રોડ કે રેલવે સ્ટેશન તરફ આવવા માંગતા લોકોને પણ ઉપરના રૂટથી જ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં જવાની અપીલ કરાઈ છે, તેથી તેમને પણ ૩થી ચાર કિલોમીટરનો ફેરો વધી જશે. રેલવે સ્ટેશનેથી ગોતાલાવાડી ડાબી સાઇડે યુ-ટર્ન લઈને બ્રિજ ચઢીને ચંદ્રશેખર આઝાદ બ્રિજ થઈને તેમજ આંતરિક રસ્તાઓ થઈને આવવા-જવા અપીલ કરી છે, તેના કારણે પણ લોકોને હેરાનગતિનો સામનો કરવો પડશે.૨૪મીને બુધવારે શહેરના વનિતાવિશ્રામ ગ્રાઉન્ડ પર ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ માટે પોલીસે ઉધના દરવાજાથી અઠવા ગેટ સુધીના માર્ગને વાહનચાલકો માટે બંધ રાખવા અપીલ કરી છે, જેને કારણે લોકોને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

 

શક્તિ મિલ ગેંગરેપ કેસ: દોષીઓને નહીં ચડાવાય ફાંસીના માંચડે, બોમ્બે હાઇકોર્ટે આપ્યો આ ચુકાદો

Train Harassment Case ટ્રેનમાં મહિલા સાથે ગેરવર્તણૂક કરવી ભારે પડી; મુસાફરોએ ભેગા મળીને શાન ઠેકાણે લાવી દીધી!
Gold Price Analysis સોનાની કિંમતો કેમ સતત ગગડી રહી છે? ઑગસ્ટમાં હજુ સસ્તું થશે કે આવશે મોટી તેજી? જાણો
Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Exit mobile version