News Continuous Bureau | Mumbai.
છેલ્લા બે સપ્તાહમાં શિવસેનાને બીજો ફટકો પડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, EDએ NACL કૌભાંડના સંબંધમાં શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકની 11 કરોડ 36 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
તેમની સંપત્તિ PMLA એક્ટ, પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ (PMLA) એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી છે.
EDની આ કાર્યવાહી બાદ શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપ વધુ તેજ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2013 માં, NSEL કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસની નાણાકીય અપરાધ શાખા દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : કોલકત્તા હાઇકોર્ટનો આદેશ. બીરભૂમ હિંસા કેસની CBI કરે તપાસ, એજન્સીએ આ તારીખ સુધી સોંપવો પડશે રિપોર્ટ