Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની ઠાકરે સરકારને આંચકો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પરિવહન મંત્રી અનિલ પરબને આ તારીખે હાજર થવા નોટીસ પાઠવી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અને શિવસેનાના નેતા અનિલ પરબને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. 

પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. 

અનિલ પરબને 31 ઓગસ્ટના સવારે 11 વાગ્યે મુંબઈમાં બલાર્ડ સ્ટેટ સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

અનિલ પરબે આ કેસમાં પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આજે સાંજે મને ED ની નોટિસ મળી છે. આમાં કોઈ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.  

આ અંગે શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આવું થવાનું જ હતું. પાર્ટી તેને કાયદેસર રીતે લડશે. રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે,`ખૂબ સારું, જન આશીર્વાદ યાત્રા પૂરી થતાં જ અનિલ પરબને ED નોટીસ મળી. 

કેન્દ્ર સરકારે તેનું કામ શરૂ કર્યું. પરબ રત્નાગીરી જિલ્લાના પ્રભારી મંત્રી છે. ઘટનાક્રમ સમજો, અમે કાનૂની નોટિસને કાયદાકીય રીતે લડીશું. જય મહારાષ્ટ્ર.

તો શું મહારાષ્ટ્રમાં ફરી નાઇટ કર્ફ્યુ લાગુ પડશે? આ પ્રધાને આપ્યું ચોંકાવનારું નિવેદન; જાણો વિગત  

Shiv Sena Symbol Dispute પક્ષ સંગઠન મોટું કે ધારાસભ્યોની બહુમતી? સુપ્રીમ કોર્ટ સમક્ષ ઠાકરે જૂથે ઉઠાવ્યા ગંભીર સવાલ, રજૂ કરી ત્રણ મુખ્ય દલીલો
Shiv Sena Symbol Legal Dispute Supreme Court અસલી શિવસેના કોની? સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક નિર્ણય આપવાની તૈયારીમાં! જાણો કોર્ટમાં શું થયું
JPSC JSSC Exam Row Jharkhand Bandh પેપર લીક અને પોલીસ દમન સામે મહાસંગ્રામ ઝારખંડ બંધના એલાનથી રાજકારણ ગરમાયું, વિદ્યાર્થીઓને ભાજપનું સમર્થન
Rahul Gandhi JMM Government ઈન્ડિયા ગઠબંધનમાં જ ખટરાગ? ઝારખંડ સરકાર સામે રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ..
Exit mobile version