Site icon

મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીના પ્રવાસે- ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી બેઠક- આ ચાર મોટા મુદ્દા પર થઈ ચર્ચા- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં નવી સરકારના ગઠન બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે(Eknath Shinde), નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) દિલ્હી(Delhi) પહોંચ્યા છે. બંને નેતાઓ શુક્રવારે રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah)ને મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ બેઠક દરમિયાન બંને નેતાઓએ શાહ સાથે રાજ્યમાં મંત્રી પરિષદની રચના અંગે ચર્ચા કરી. સાથે જ આ બેઠકમાં યુતિ સરકારના કેબિનેટ વિસ્તરણ(Cabinet expansion) પર ચર્ચા કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણમાં શિવસેના(Shivsena)ને 13 મંત્રી પદ મળી શકે છે, જ્યારે 29 મંત્રી પદ ભારતીય જનતા પાર્ટી(BJP)ને મળી શકે છે. દરમિયાન દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચાની સાથે રણનીતિની બેઠકોનો રાઉન્ડ થશે. જેમાં એકનાથ શિંદે તેમના કાયદાકીય નિષ્ણાતોને મળશે અને ચર્ચા કરશે. શિવસેનાના બંને જૂથો દ્વારા સુપ્રીમ કોર્ટ(Supreme court)માં દાખલ કરાયેલા વિવિધ કેસોની સોમવારે સુનાવણી થવાની છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના 16 ધારાસભ્યો(MLAs)ને સસ્પેન્ડ કરવાનો મુદ્દો પણ છે.

Join Our WhatsApp Community

 

તો બીજી તરફ આગામી 18 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. જે માટે આ બેઠકોમાં મહારાષ્ટ્રના મતોનું ગણિત નક્કી કરવા પર પણ ચર્ચા કરવામાં આવશે. જેના પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વરિષ્ઠ નેતાઓ સાથે રણનીતિ નક્કી કરી શકે છે. જેથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને વધુમાં વધુ વોટ મળી શકે.

આ સમાચાર પણ વાંચો :  કુદરત રૂઠી-મહારાષ્ટ્રના સોલાપુર અને પૂર્વ ઉત્તર કોલ્હાપુરમાં આવ્યો ભૂકંપ-રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા-જાણો વિગતે

ઉપરાંત આ બેઠકમાં આગામી દિવસોમાં અનેક જિલ્લા પરિષદ અને પાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે. તેથી રાજ્યમાં આચારસંહિતા જળવાઈ રહે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version