Site icon

100 કરોડની ખંડણીની તપાસ: આખરે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ED સમક્ષ થયા હાજર, આટલી વખત પાઠવવામાં આવ્યા હતા સમન્સ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 1 નવેમ્બર, 2021.

Join Our WhatsApp Community

સોમવાર.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ આજે  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં હાજર થયા છે.

આ દરમિયાન ઇડીના અધિકારીઓ કથિત ભ્રષ્ટાચારના કેસમાં તેમની પૂછપરછ કરી રહ્યા છે. 

ઈડી 100 કરોડના ખંડણી કેસમાં મની લોન્ડરિંગ એંગલથી પણ તપાસ કરી રહી છે.

દેશમુખને પૂછપરછના સંદર્ભમાં ED દ્વારા 5 વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા. પરંતુ દર વખતે તેમના વકીલ ઈન્દ્રપાલ સિંહ ઈડીની ઓફિસ પહોંચતા હતા.

દેશમુખની સાથે તેમના દિકરા ઋષિકેશ દેશમુખ અને પત્નીને પણ બે વખત બોલાવવામાં આવ્યા છે. પરંતુ તેઓ પણ અત્યાર સુધી ઈડી ઓફિસ પહોંચ્યા નથી. 

માનવામાં આવે છે કે, દેશમુખ પછી હવે ટૂંક સમયમાં તેમના દિકરા અને પત્ની પણ ઈડીની સામે હાજર થઈ શકે છે.

નોંધનીય છે કે મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવ્યા બાદ પરમબીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો.

એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અનિલ દેશમુખે પોલીસ અધિકારી વાજે (હવે બરતરફ કરાયેલા)ને શહેરના બાર અને રેસ્ટોરન્ટમાંથી એક મહિનામાં રૂ. 100 કરોડથી વધુની વસૂલાત કરવાનું કહ્યું હતું.

તહેવાર ટાણે જ ગૃહિણીઓને મોંઘવારીનો માર, કોમર્શિયલ LPG સિલિન્ડમાં ઝીકાયો અધધ આટલા રૂપિયાનો વધારો

Pune LPG Cylinder Booking Rules: પુણેવાસીઓ સાવધાન! હવે LPG સિલિન્ડર માટે લાગુ થયો નવો નિયમ; બીજા રિફિલ માટે જોવી પડશે આટલા દિવસ સુધી રાહ.
LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Exit mobile version