Site icon

મેટ્રો-3ના કારશેડને મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારને હાઈકોર્ટનું સૂચન; કહ્યું : પરસ્પર ચર્ચાથી લાવો ઉકેલ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો-૩નો ૨૩,૦૦૦ હજાર કરોડનો પ્રોજેક્ટ રખડી ગયો છે, એથી મુંબઈગરાને મોટું નુકસાન થઈ રહ્યું છે. હવે આ મુદ્દે બૉમ્બે હાઈ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને પરસ્પર ચર્ચા દ્વારા ઉકેલ લાવવાનું સૂચવ્યું છે. આ મામલે આગામી સુનાવણી ઑગસ્ટના પહેલા અઠવાડિયામાં થવાની છે. આરેમાં કારશેડ બાંધવા માટે અનેક વૃક્ષો રાતોરાત કપાયાં હતાં અને એ મામલે ઉગ્ર વિવાદ એ સમયે સર્જાયો હતો.

વર્ષ ૨૦૧૯માં મહાવિકાસ આઘાડીની સરકાર બનતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ કારશેડ કાંજૂરમાર્ગમાં સ્થળાંતરિત કર્યો હતો. જોકેઆ જમીન કેન્દ્ર સરકાર હસ્તક હોવાનું કહી કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર વિરુદ્ધ હાઈ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે આ પ્રકલ્પ હવે રખડી પડ્યો છે. આ જમીન સોલ્ટ પેન કમિશનરના અખત્યારમાં હોવાનું કેન્દ્રે હાઈ કોર્ટમાં જણાવ્યું હતું.

મ્યુઝિક કમ્પોઝર અનુ મલિકે ગુમાવ્યું નજીકનુ પરિવારજન, છેલ્લા શ્વાસ સુધી હતા સાથે; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે જ્યારે આ બે પક્ષો વચ્ચે જમીનની માલિકીનો વિવાદ ચાલતો હતો,એવામાં મહેશ ગોરડિયાએ આ જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કર્યો હતો. આ મામલે બાદમાં કાંજૂરમાર્ગમાં કારશેડ બાંધવા પર ૧૬ ડિસેમ્બરે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version