Site icon News Continuous Bureau | Mumbai

ગજબ કહેવાય! મહારાષ્ટ્રના આ શહેરમાં કોરોનાથી મૃત્યુ 1600 પણ મદદ માટે બમણી સંખ્યામાં આવી અરજી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ માંડ નિયંત્રણમાં આવી છે. પરિસ્થિતિ થાળે પડતા હવે મૃતકોને આર્થિક મદદ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. જોકે અમરાવતીમાં આશ્ચર્યજનક બાબત પ્રકાશમાં આવતા પાલિકા પ્રશાસન પણ ચોંકી ગયુ હતું. અમરાવતી જિલ્લામાં મૃતકોના આંકડો 1600 છે. પરંતુ તેની સામે મદદ માટે 3000 ઓનલાઈન અરજી આવી છે.
અમરાવતી જિલ્લામાં મૃતકોના આંકડો 1600 છે. જેમાં અમરાવતી શહેરમાં 567 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા, તેની સામે આર્થિક મદદ માગતી 2,800 અરજી આવતા ખળભળાટ મચી ગયો છે. અરજીની સંખ્યા આટલી બધી કેવી રીતે એનાથી ખુદ પાલિકા પ્રશાસન ચોંકી ગયું છે. મૃતકોના આંકડામાં હેરાફેરી તો નથી તેની ચર્ચાએ જોર પકડયું છે

કોવિડ-19ના મૃત્યુ બાદ રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાનું  સાનુગ્રહ અનુદાન આપવામાં આવવાનું છે. તે માટે બે ડિસેમ્બરના વેબ પોર્ટલ પણ ચાલુ કરવામાં આવ્યું છે. મૃતકોને 50,000 રૂપિયાની મદદ કરવાનો આદેશ 10 ઓક્ટોબરના કોર્ટે આપ્યો હતો. તે મુજબ રાજય સરકારે વારસોના બેંક ખાતામાં અનુદાન જમા કરવાનો નિર્ણય લીધો હતો. અમરાવતી શહેરને બાદ કરતા ગ્રામીણ ભાગમાં એક હજાર લોકોના મૃત્યુ થયા છે. પરંતુ એક હજાર લોકો માટે ફક્ત 200 અરજ મળી છે. તો અમરાવતી શહેરમાં 567 મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે. તેની સામે મદદ માટે 2800 અરજી આવી છે. જે તપાસનો  મુદ્દો બની ગયો છે.

મહારાષ્ટ્રમા ભાજપને જોરદાર ઝટકોઃ 12 વિધાનસભ્યોના સસ્પેન્શન પર સ્ટે આપવાનો સુપ્રીમ કર્યો ઈનકાર; જાણો વિગત

 

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version