Site icon

ગાંધી બાપુના ગુજરાતમાં જ તેમનું અપમાન: હિંદુ સેનાએ સ્થાપી ગોડસેની પ્રતિમા, કોંગ્રેસે તેને તોડી પાડી; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 16 નવેમ્બર  2021 
મંગળવાર. 

દેશન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કરવાની અને તેમના હત્યારા ગોડસેને મહાન બનાવવાની જાણે ફેશન બની ગઈ છે. ગાંધીબાપુના ગુજરાતમાં જ  તેમના અપમાનની ઘટના બની છે. જેમા તેમના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમાને લઈને ફરી વિવાદ થયો છે. સોમવારે ગુજરાતમાં હિંદૂ સેના તરફથી ગોડસેની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તેને પગલે ઉશ્કેરાયેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ તેને તોડી પાડી હતી.

Join Our WhatsApp Community

ગુજરાતથી મુંબઈ આવતી ટ્રેનોમાં ભીખારી અને હિજડાઓનો આતંક, પ્રવાસીઓ હેરાન-પરેશાન; જુઓ તસવીરો અને જાણો વિગત.

મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડેસેને 10 ફેબ્રુઆરી 1949માં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ 15 નવેમ્બર 1949માં તેને ફાંસીને માંચડે ચઢાવવામા આવ્યો હતો, તેની યાદમા જામનગરમાં ગોડસેની પ્રતિમા બેસાડવામાં આવી હતી. હિંદુ સેનાએ 8 ઓગસ્ટના જ નથૂરામ ગોડસેની પ્રતિમા બેસાડવાની જાહેરાત કરી હતી. જોકે સ્થાનિક પ્રશાસને મંજૂરી નહીં આપતા જામનગરમાં હનુમાન આશ્રમમાં પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. કોંગ્રેસી કાર્યકર્તા જોકે ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ આશ્રમ જઈને ગોડસેની પ્રતિમાને તોડી પાડી હતી.

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version