Site icon

મહારાષ્ટ્રમાં લોકડાઉન વધતાં વેપારી વર્ગમાં આક્રોશ વધ્યો; ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને આપ્યું આ નિવેદન, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે અને દુકાનદારોને કોઈ છૂટછાટ મળી નથી. આ બાબતે નિર્ણય લેતી વખતે સરકારે વેપારીઓનો મત જાણ્યો ન હતો. તેથી હવે આ નિર્ણયથી વેપારી વર્ગમાં ભારે આક્રોશ છે.

દરમિયાન ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને પ્રેસ રિલીઝ બહાર પાડી જણાવ્યું હતું કે “વેપારીઓના નુકસાન માટે પેકેજ અથવા સબસિડી પર કોઈ ચર્ચા કેમ નથી? અસંગઠિત છૂટક ક્ષેત્રોમાં ૯૫ ટકા વેપારીઓને ૪ એપ્રિલથી ૩૧ મે સુધીમાં લઘુ અને મધ્યમ રિટેલરોને કુલ ૬૯,૫૦૦ કરોડનું નુકસાન થશે. એની ભરપાઈ કોણ કરશે?” તેમાં ઉમેરાયું હતું કે સરકારે મુંબઈ જેવા શહેરનો પણ ઉલ્લેખ કર્યો નથી કે જ્યાં કેસ સતત ઘટી રહ્યા છે અને ક્રમશ:અનલોક કરવામાં આવે તો પણ સ્થિતિને કાબૂમાં રાખી શકાય છે.

 એક જીવ એવો કે જે માછલીની જીભ ખાઈ જાય છે, પોતાનું લિંગ પરિવર્તન કરે છે અને માછલીના શરીરમાં જ પોતાનું ઘર બનાવે છે… આફ્રિકામાં જોવા મળ્યો વિચિત્ર જીવ…

પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ જ્યાં ઈ-કોમર્સ વેબસાઇટ અને ઓનલાઇન પ્લેયરો જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરી કોઈ પણ ભય વિના વ્યવસાય કરે છે અને નાના વેપારીઓનો વેપાર ખેંચી જઈ રહ્યા છે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો એસોસિયેશન કોર્ટમાં જશે. હવે સમય આવી ગયો છે કે મહારાષ્ટ્ર સરકાર વેપારીઓના પ્રશ્નો અને ચિંતાઓનો ગંભીરતાથી વિચાર કરે. અમે લોકડાઉનમાં સરકારને ટેકો આપ્યો છે, પરંતુ બદલામાં કોઈ પરસ્પર સબસિડી આપવામાં આવી નથી. વ્યાવસાયિક ખોટ અને બેરોજગારી હવે વધી રહી છે.

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version