Site icon News Continuous Bureau | Mumbai

‘ભયનો માહોલ…’, વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર ચૂકાદો સંભળાવનારા જજને સતાવી રહી છે પરિવારની ચિંતા.. પરિવારની સલામતીને લઈને કહી આ વાત..

News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ કેસ(Gyanvapi Masjid case)માં વીડિયોગ્રાફીનો રસ્તો સાફ થઈ ગયો છે. કોર્ટનો આદેશ છે કે જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરાને ખોલીને સર્વે(Gyanvapi Masjid survey) કરવામાં આવે. જોકે હવે સિવિલ જજ રવિ કુમાર(Civil Judge Ravi Kumar), જેમણે ફરી વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસ(Gyanvapi Campus of Varanasi)માં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો, તેઓ હવે તેમના પરિવારની સુરક્ષા(Family safety)ને લઈને ચિંતિત છે. તેમનું કહેવું છે કે સાધારણ કેસમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે. ડર એટલો છે કે મારો પરિવાર મારી અને તેમની સલામતીની ચિંતા કરે છે. જ્ઞાનવાપી કેસમાં સર્વે માટે નિયુક્ત એડવોકેટ કમિશનરને હટાવવાની માંગ કરતી અરજી પર ચુકાદો આપતા જજે ગુરુવારે આ વાત કહી હતી.  

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, ન્યાયાધીશે કહ્યું કે, આ કેસમાં રચાયેલ કમિશનની કાર્યવાહી એક સામાન્ય પ્રક્રિયા છે, જે મોટાભાગના સિવિલ કેસો(civil cases)માં કરવામાં આવે છે. આ કેસમાં પણ એવું જ કરવામાં આવ્યું છે. ભાગ્યે જ કોઈ કેસમાં એડવોકેટ કમિશનર(Advocate Commissioner) પર સવાલો ઉભા થયા છે. આ સાદા સિવિલ કેસને અત્યંત અસાધારણ બનાવીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ડર એટલો છે કે મારો પરિવાર હંમેશા મારી સલામતી વિશે ચિંતિત છે અને હું તેમની (પરિવારની) સલામતી વિશે ચિંતિત છું. જ્યારે પણ હું ઘરની બહાર હોઉં ત્યારે મારી પત્ની મારી સલામતીની ચિંતા કરે છે. ગઈ કાલે, જ્યારે મેં મારી માતા સાથે વાતચીત કરી ત્યારે તે પણ મારી સલામતી વિશે ચિંતિત જણાતી હતી. તેમને કદાચ મીડિયા દ્વારા આ માહિતી મળી હોય કે હું પણ કમિશનર તરીકે સ્થળ પર જઈ રહ્યો છું. મારી માતાએ મને કમિશન પર જવાની મનાઈ કરી હતી કારણ કે તેનાથી મારી સલામતી જોખમમાં આવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : રાજીવ કુમાર બન્યા નવા ચૂંટણી કમિશનર, આ તારીખથી સંભાળશે કાર્યભાર : સુશીલ ચંદ્રાનું લેશે સ્થાન..

ઉલ્લેખનીય છે કે વારાણસી સિવિલ જજ(Varanasi Civil Judge) (વરિષ્ઠ વિભાગ) રવિ કુમાર દિવાકરની અદાલતે જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી સંકુલની વિડિયોગ્રાફી-સર્વે(Videography-Survey of Gyanvapi-Shringar Gauri Complex) કરવા માટે કોર્ટ દ્વારા નિયુક્ત કોર્ટ કમિશનરને બદલવાની માંગને ફગાવી દીધી હતી. આ સાથે કોર્ટે સર્વેની કામગીરી પૂર્ણ કરીને 17મી મે સુધીમાં રિપોર્ટ સોંપવા પણ નિર્દેશ આપ્યો છે. તેમજ કોર્ટે સર્વેના કામમાં અડચણ ઉભી કરવાની કોશિશ કરાનારા લોકો વિરુદ્ધ પ્રાથમિકી નોંધવાનો આદેશ આપ્યો છે. આની સાથે જ સર્વે દરમિયાન વીડિયોગ્રાફીનો પણ નિર્દેશ આપવામા આવ્યા છે. 

Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Maharashtra Rain Updates 2026 મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ચોમાસું ફરી સક્રિય થતાં ધોધમાર વરસાદની આગાહી; આગામી ૨૪ કલાક માટે આ ૧૨ જિલ્લાઓમાં એલર્ટ!
Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Exit mobile version