Site icon News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરે ભડક્યા-કહ્યું જે વિશે ભાન ન પડતી હોય તે વિશે

News Continuous Bureau | Mumbai

ગુજરાતી અને મારવાડી સમાજને(Gujarati and Marwari society) કારણે મુંબઈ(mumbai) દેશનું આર્થિક પાટનગર(Financial capital) બન્યું હોવાનો મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor) ભગત સિંહ કોશ્યારીના(Bhagat Singh Koshyari) નિવેદનની રાજ્યમાં કોંગ્રેસ(Congress) બાદ હવે MNSએ પણ ટીકા કરી છે. MNSના નેતાઓ(MNS Leader) ભડકી ગયા છે અને ‘જે વિશે કંઈ ભાન પડતી ના હોય તે વિશે બોલવાનું બંધ કરો’ એવી ટીકા પણ નેતાઓએ કરી હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Community

રાજ્યપાલે મહારાષ્ટ્રનું અપમાન કર્યું હોવાનું કહીને વિપક્ષ(Opposition Party) આક્રમક બન્યો છે ત્યારે હવે MNSએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. MNS નેતા ગજાનન કાળેએ(Gajanan Kale) ટ્વીટ કરીને રાજ્યપાલના નિવેદનની નિંદા કરી હતી. પહેલા સાવિત્રી માઈનું(Savitri Mai) અપમાન થતું હોય અને હવે મહારાષ્ટ્રનું અપમાન થતું હોય તો પદનું કોઈ માન નથી. ગજાનન કાળેએ કહ્યું છે કે રાજ્યપાલે પોતાને જે વિષયની  જાણ ન હોય તેમાં પોતાનું મોઢું મારવું નહીં. 

આ સમાચાર પણ વાંચો : મંત્રી મંડળ બનતા પહેલાં જ શિંદે સરકારને વાંકુ પડ્યું- ગર્વનરની વિરુદ્ધમાં કેન્દ્રને પત્ર લખવામાં આવશે

અગાઉ સાવિત્રીમાઈ વિશે અને હવે મરાઠી(Marathi) અને મહારાષ્ટ્ર વિશે વાહિયાત નિવેદનો કર્યા છે. આ પાર્સલને ઉત્તરાખંડ(Uttarakhand) પરત મોકલવાનો સમય આવી ગયો છે. આ સહન કરવામાં આવશે નહીં. જો મરાઠી, મહારાષ્ટ્રની સભ્યતા(Maharashtra Culture) અને સંસ્કૃતિનું અપમાન થશે તો રાજ્યપાલના પદનું સન્માન અને ગરિમા નાશ પામશે એવી ટીકા પણ ગજાનન કાલેએ કરી છે. 

આ વિષય પર MNS પ્રવક્તા સંદીપ દેશપાંડેએ(Sandeep Deshpande) કહ્યું કે જે લોકો આર્થિક પ્રગતિને પ્રગતિ માને છે તેઓ બૌદ્ધિક રીતે નાદાર છે. મરાઠી લોકોના બલિદાનથી મુંબઈ અને મહારાષ્ટ્ર બન્યા છે. મરાઠી લોકોએ બીજાને ફાયદો કરાવ્યો છે. રાજ્યમાં અગાઉની સરકાર દ્વારા બનાવવામાં આવેલી નીતિઓને કારણે મુંબઈ, મહારાષ્ટ્રમાં ઉદ્યોગો આવ્યા, તેથી મહારાષ્ટ્ર અન્ય રાજ્યો કરતાં વધુ આગળ વધ્યું છે. મહારાષ્ટ્ર ક્યારેય અપમાન સહન નહીં કરે. તેમને જે ન સમજાય તે વિશે તેણે ખોટી જગ્યાએ વાત ન કરવી જોઈએ અને જે ન જોઈતી હોય તેમાં પોતાનું નાક ઠોકવું જોઈએ નહીં.
 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version