Site icon

બાપરે! શું ખરેખર મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરનું આગમન થઈ ચૂક્યું છે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21 જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ સહિત મહારાષ્ટ્ર બીજી લહેરમાંથી માંડ-માંડ બહાર નીકળી રહ્યું છે, ત્યારે મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરનું આગમન થઈ ચૂક્યું હોવાનાં એંધાણ મળી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ આ નવા વેરિયન્ટના 7 દર્દી મળી આવ્યા છે. કોરોનાના આ નવા વેરિયન્ટને B.1617.2 તરીકે ઓળખાય છે.

રત્નાગિરિ, નવી મુંબઈ અને પાલઘરમાંથી લેવામાં આવેલા નમૂનામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યા છે. એમાં મોટા ભાગના કેસ રત્નાગિરિમાં મળી આવ્યા છે. આ નવો વેરિયન્ટ કેટલો જોખમી છે, એની સ્ટડી ચાલી રહી છે.

ઉત્તરાખંડમાં આ તારીખ સુધી કોવિડ કર્ફ્યુ વધારવામાં આવ્યો, સરકારે આપી આ છૂટછાટ ; જાણો વિગતે 

અહીં ઉલ્લેખનીય છે કે ડેલ્ટા વેરિયન્ટને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. એથી કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીની સંખ્યામાં ફરી ધરખમ વધારો થવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાની પહેલી લહેરમાં 19 લાખ, બીજી લહેરમાં 40 લાખ દર્દી નોંધાયા હતા, તો ત્રીજી લહેરમાં કેસમાં હજી વધારો થઈ શકે છે. એમાં પણ 10 ટકા બાળકોને પણ કોરોનાનું જોખમ રહેલું છે.

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version